કોરોના સમય પહેલાની જેમ હવે એક્સપ્રેક્સ ટ્રેનોમાં પણ સામાન્ય ટિકિટ લઈને મુસાફરી કરી શકાશે, રેલવેએ હવે આ વ્યવસ્થા ફરી શરુ કરી છે.
કોરોના હળવો પડતા રેલવેનો મોટો નિર્ણય
એક્સપ્રેક્સ ટ્રેનોમાં પણ સામાન્ય ટિકિટ પર કરી શકાશે સફર
અનામત કોચોને હવે અનારક્ષિત કોચોમાં ફેરવવાનું રેલવેએ કર્યું શરુ
આગામી થોડા સમયમાં દિલ્હી-મુંબઈની ટ્રેનોમાં જનરલ ટિકિટ પર મુસાફરી કરી શકાશે. એક્સપ્રેક્સ ટ્રેનોની આરક્ષિત જનરલ બોગીઓને હવે અનારિક્ષિત બોગીઓમાં ફેરવી નાખવાનું રેલવેએ શરુ કર્યું છે. આરક્ષિત બોગીઓમાં ફક્ત 40 50 ટકા જ પ્રવાસીઓ પ્રવાસ કરતા હોય છે અને બાકીની બોગીઓ ખાલી ફરતી હોય છે જેને કારણે રેલવેએ ખૂબ મોટું આર્થિક નુકશાન થતું હોય છે આથી રેલવેએ અનારક્ષિત બોગીઓ ચલાવવાનો નિર્ણય કર્યો છે.
લોકલ રુટ પર ચાલનાર ઈન્ટરસિટીમાં ટિકિટ લઈને કરી શકાશે મુસાફરી
તે ઉપરાંત રેલવેએ લોકલ રુટ પર ચાલનાર ઈન્ટરસિટી અને કૃષક એક્સપ્રેક્સ ટ્રેનોમાં પણ જનરલ ટિકિટ પર લોકોને સફર કરવાની મંજૂરી આપી દીધી છે.
એક્સપ્રેક્સ ગાડીઓમાં પણ અનારક્ષિત કોચ લગાવાયા
લોકડાઉન પછી 1 જુન 2020 થી તમામ ટ્રેનો આરક્ષિત ટ્રેનો તરીકે દોડી રહી છે. સ્પેશિયલ એક્સપ્રેક્સના જનરલ કોચમાં પણ આરક્ષિત ટિકિટ ફરજિયાત છે. ફક્ત પેસેન્જર ટ્રેનોમાં જ જનરલ ટિકિટ લઈને સફરની પરમિશન છે. રેલવે પ્રશાસને પેસેન્જર ટ્રેનો બાદ ઝોનમાં ચાલનાર એક્સપ્રેક્સ ગાડીઓમાં પણ અનારક્ષિત કોચ લગાવવાનું કામ શરુ કરી દીધું છે.