ભારતીય રેલ્વે રેલ નેટવર્કને અપગ્રેડ કરવાનું વિચારી રહ્યું છે. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના હેઠળ લાંબા અંતરની મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનો સ્લીપર કોચને સંપૂર્ણપણે દૂર કરશે.
એટલે કે આ ટ્રેનોમાં ફક્ત એસી કોચ જ રહેશે.
વધુ ઝડપે દોડતી ટ્રેનોમાં નોન એસી કોચ તકનીકી સમસ્યા પેદા કરે છે
આવી ટ્રેનની ગતિ પ્રતિ કલાક 130/160 કિમી હશે. જ્યારે મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનો 130 કિમી પ્રતિ કલાક અથવા વધુની ઝડપે દોડે છે ત્યારે નોન-એસી કોચ તકનીકી સમસ્યાઓ પેદા કરે છે. તેથી આવી બધી ટ્રેનોમાંથી સ્લીપર કોચને દૂર કરવામાં આવશે.
સામાન્ય એસી કોચ કરતા ભાડુ ઓછું રાખવાની યોજના
હાલમાં લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં 83 એસી કોચ લગાવવાની દરખાસ્ત છે. જો કે આ વર્ષના અંત સુધીમાં કોચની સંખ્યા વધારીને 100 કરવામાં આવશે. આવતા વર્ષે કોચની સંખ્યા વધારીને 200 કરવાની યોજના છે. એટલે કે, આવનારા સમયમાં પ્રવાસ વધુ આરામદાયક અને ઓછો સમય લેશે. સારી વાત એ છે કે આને બદલે સામાન્ય એસી કોચ કરતા ભાડુ ઓછું રાખવાની યોજના છે.
નોન એસી ટ્રેનો 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે
જો કે, આનો અર્થ એ નથી કે હવે કોઈ નોન-એસી કોચ રહેશે જ નહીં. નોન-એસી કોચવાળી ટ્રેનોની ગતિ એસી કોચવાળી ટ્રેનો કરતા ઓછી હશે. મળતી માહિતી પ્રમાણે આવી ટ્રેનો 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ તમામ કામગીરી તબક્કાવાર કરવામાં આવશે.
ભારતીય રેલ્વેએ બુધવારે 39 નવી પેસેન્જર ટ્રેનો ચલાવવાની મંજૂરી આપી
આ અગાઉ ભારતીય રેલ્વેએ બુધવારે 39 નવી પેસેન્જર ટ્રેનો ચલાવવાની મંજૂરી આપી હતી. આ તમામ ટ્રેનોને વિશેષ ટ્રેનો તરીકે ચલાવવામાં આવશે. રેલવે દ્વારા તમામ 39 ટ્રેનોની સૂચિ બહાર પાડવામાં આવી છે, પરંતુ તેઓ ક્યારે દોડશે તે અંગેની માહિતી આપવામાં આવી નથી.
સેન્ટ્રલ રેલ્વેના જણાવ્યા અનુસાર 9 ઓક્ટોબરથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને નાગપુર, પુના, ગોંડિયા અને સોલાપુર વચ્ચે 10 સ્પેશ્યલ પેસેન્જર ટ્રેનો દોડશે. આ ટ્રેનોમાં જનરલ ડબ્બા નહીં હોય. આ ટ્રેનમાં કંફર્મ ટિકિટ વિના મુસાફરીની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ સાથે તમામ ટ્રેનોમાં કોરોના વાયરસ સમબંધિત તમામ નિયમો, સોશ્યલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝર, માસ્ક વગેરે નિયમોનું પાલન કરવું પડશે.