મહારાષ્ટ્રના રાયગઢમાં ધરાશાયી થયેલી ઈમારતમાંથી એક બાળકનું સફળ રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યુ. 4 વર્ષનો બાળક 20 કલાક બાદ મળી આવતા NDRFની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.
રાયગઢમાં ચમત્કાર થઈ ગયો!
20 કલાક બાદ 4 વર્ષનું બાળક કાટમાળમાંથી જીવતો રેસ્ક્યુ કરાયો
5 માળની ઈમારત થઈ છે ધરાશાયી
ગઈકાલ સાંજે મહારાષ્ટ્રના રાયગઢમાં પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં બે લોકોના મૃત્યુ પામ્યા છે. જ્યારે 50 જેટલા લોકો હજુ ફસાયેલા હોવાનું મનાઈ રહ્યું છે. તે લોકોને કાટમાળમાંથી શોધી કાઢવા માટે NDRFની ટીમે સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખ્યું છે. હજુ પણ બાકી રહેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 60 જેટલા લોકોને સફળ રીતે બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે આ ઘટનામાં 17 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલો વીડિયો લોકોમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. જે પણ લોકોએ આ સમાચાર સાંભળ્યા કે વીડિયો જોયો તેઓએ બાળકને સલામત જોઈ રાહતના શ્વાસ લીધા હતા. બાળકને ઈજા થઈ હોવાથી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. આ ઘટના મુંબઈથી 170 કિમી દુર રાયગઢમાં બની છે. ધરાશાયી થયેલી આ ઈમારતમાં 45 ફ્લેટ હતા.