તો બીજી તરફ પાટણ અને પોરબંદરમાં માસ સીએલ પર ઉતરેલા શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે.
રાજ્યમાં જૂની પેન્શન યોજના મુદ્દે રાજકારણ ગરમાયુ
જૂની પેન્શન યોજના મુદ્દે રાહુલ ગાંધીનુ ટ્વિટ
ગુજરાતમાં પણ કોંગ્રેસ જૂની પેન્શન યોજના આપશેઃ રાહુલ ગાંધી
ગઈ કાલે જ ગુજરાત કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજી અન્ય ત્રણ ચૂંટણીલક્ષી વચનોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના સરકારી કર્મચારીઓના સળગતા મુદ્દા પર કૉંગ્રેસે ભાજપને ઘેરવા મોટા વચનો આપ્યા છે. જેમાં , 2003માં રદ્દ થયેલ જૂની પેંશન યોજના ફરી શરુ કરાશે, ઇન્દિરા રસોઈ યોજના હેઠળ રૂપિયા 8 માં જમવાનું મળશે, મનરેગાની જેમ શહેરી વિસ્તારમાં રોજગારની ગેરેન્ટી પણ આપવામાં આવી છે.આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, અર્જુન મોઢવાડીયા અને અમિત ચાવડા પણ હાજર હતા.
ગુજરાતમાં જૂની પેન્શન યોજના અમલમાં લાવીશું: રાહુલ ગાંધી
જે બાદ ફરી રાજ્યમાં જૂની પેન્શન યોજના મુદ્દે રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી લખ્યું છે કે આ યોજના હટાવી વૃદ્ધોને આત્મનિર્ભરથી કફત નિર્ભર બનાવી દીધા, જૂની પેન્શન યોજના કર્મચારીઓનો હક છે. અમે રાજસ્થાન, છત્તીસગઢમાં જૂની પેન્શન યોજના આપી છે. આવનાર દિવસોમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસ જૂની પેન્શન યોજના આપીશું.
पुरानी पेंशन ख़त्म कर, भाजपा ने बुज़ुर्गों को आत्मनिर्भर से निर्भर बना दिया।
देश को मज़बूत करने वाले सरकारी कर्मचारियों का हक़ है: पुरानी पेंशन
हमने राजस्थान, छत्तीसगढ़ में पुरानी पेंशन बहाल की। अब गुजरात में भी कांग्रेस सरकार आएगी, पुरानी पेंशन लाएगी।#CongressDegiOldPension
પાટણમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન કરી રહેલા શિક્ષકોને નોટિસ
તો આ તરફ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે માસ સીએલ પર ઉતરેલા પોરબંદરમાં સરકારી શાળાના શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી છે. જૂની પેન્શન યોજના જિલ્લા શિક્ષણ અધિકારી નોટિસ આપી છે. મહત્વનું છે કે સરકારની જાહેરાત બાદ પણ જૂની પેન્શન યોજના સહિતની માંગોને લઈ શિક્ષકો રસ્તા પર ઉતરી ગયા છે. જેના પગલે શિક્ષણ વ્યવસ્થાનું કામ ખોરંભે ચડ્યું છે.
શિક્ષકોએ શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષના બેસણા યોજ્યાં
પાટણમાં માસ CL પર ઉતરેલા શિક્ષકોને જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ આપી છે. 4600 શિક્ષકો પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આજે શિક્ષકોએ શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષના બેસણા યોજ્યાં છે. જેમાં અધ્યક્ષ ભીખા પટેલ અને દિગ્વિજયસિંહ જાડેજા બંનેના ફોટા સામે ખાસડાઓ મૂકીને વિરોધ કરાયો છે. બંનેએ સરકાર સાથે સેટીંગ કરી પોતાનો રોટલો શેક્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
સરકારી કર્મચારીઓ માટે શું શું કરાઇ જાહેરાત?
૭માં પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવા આવશે આ તમામ લાભો કેન્દ્રના ધોરણે આપવામાં આવશે.
કેન્દ્રના ધોરણે તા.૧/૪/૨૦૦૫ પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે. ઉપરાંત સી.પી.એફમાં ૧૦ ટકાને બદલે ૧૪ ટકા સરકાર દ્વારા ઉમેરવામાં અંગે પણ અતિ મહત્વપૂર્ણ કર્મચારીહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૦૯ના કેન્દ્ર સરકારના ઠરાવ મુજબ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં કેન્દ્રના ધોરણે કુટુંબ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. રહેમરાહે નિમણૂક પામેલા તમામ કર્મચારીની નોકરી મૂળ નિમણૂક તારીખથી તમામ લાભો માટે સળંગ ગણવામાં આવશે. શૈક્ષણિક કેડર સિવાયના તમામ કર્મચારીઓને કેન્દ્રના કર્મચારીની જેમ ૧૦, ૨૦, ૩૦નું ઉચ્ચતર પગાર ધોરણ આપવા ઠરાવ કરવામાં આવશે.
કર્મચારીઓને રૂ.૩૦૦ ને બદલે રૂ.૧૦૦૦ મેડિકલ ભથ્થુ આપવામાં આવશે. જે સરકારી કર્મચારીઓનું ચાલુ ફરજે અવસાન થાય તેવા કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાકીય સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. ઉચ્ચક નાણાકીય સહાય રૂ.૮ લાખ અપાતી હતી તે વધારીને રૂ.૧૪ લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સરકારી કર્મચારીઓને બઢતી માટે આવશ્યક એવી પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં પણ વિશેષ રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં મુક્તિ માટે ૫૦ ટકા પરિણામે કર્મચારીને પાસ ગણવામાં આવશે તેમજ આ પરીક્ષામાં અંગ્રેજીનું પ્રશ્નપત્ર પણ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
કર્મચારીઓને નિવૃત્તિ સમયે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દર અને મુદતમાં ઘટાડા સાથે ૧૫ વર્ષના ૧૮૦ હપ્તાને બદલે ૧૩ વર્ષના ૧૫૬ હપ્તામાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પરિણામે પ્રત્યેક કર્મચારીઓને નિવૃત્તિ સમયે અંદાજિત રૂ.૬ લાખ જેટલો સંભવતઃ ફાયદો થશે. સીસીસી પરીક્ષાની મુદ્દત ડિસેમ્બર-૨૦૨૪ સુધી લંબાવવામાં આવશે. આ ઉપરાંત જૂથ વીમા કપાતની રકમના સ્લેબમાં વધારો કરવા ઉપરાંત તે પ્રમાણે વીમા કવચ પણ વધારવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
મહિલા કર્મચારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે જે અંતર્ગત મહિલા કર્મચારીઓની નોકરીનો સમયગાળો ધ્યાને લીધા સિવાય મૂળ નિમણૂક તારીખથી જ ૧૮૦ દિવસ એટલે કે છ મહિનાની પ્રસૂતિ રજા આપવામાં આવશે.
વર્ષ ૨૦૦૬ પછીની ફિક્સ પગારની નીતિથી ભરતી થયેલા તમામ કર્મચારીને પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી તા.૧૮ જાન્યુઆરી ૨૦૧૭ના ઠરાવ મુજબ સળંગ ગણવા અંગેનો લાભ આપવામાં આવે છે. પરંતુ વર્ષ ૨૦૦૬ પહેલાના ફિક્સ પગારની નિતીમાં જેટલી કેડરનો સમાવેશ કરવામાં આવેલ છે તે તમામ કેડરને પ્રાથમિક શિક્ષકોની જેમ બાકી રહેલા તમામ સરકારી કર્મચારીઓ તેમજ ગ્રાન્ટ ઇન એડ શિક્ષકોને તા.૧લી એપ્રિલ ૨૦૧૯ની અસરથી સેવાઓ સળંગ ગણવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પે આપવામાં આવશે. તા.૨૭ એપ્રિલ ૨૦૧૧ પહેલા ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને નિવૃત્તિ સાથે પુરા પગારમાં સમાવવામાં આવશે.
રાજય સરકાર દ્વારા લેવાયેલા આ કર્મચારી હિતલક્ષી નિર્ણયો માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુકત મોરચાના તમામ હોદ્દેદારોએ ગુજરાત સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, હવે તેમણે આગામી કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.