દેશના વડા પ્રધાન મોદીના સંબોધનના એક કલાક પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોરોનાથી પ્રભાવિત અર્થતંત્ર અને ચીનની કથિત ઘુસણખોરી વિશે પ્રશ્નો પૂછ્યા છે. રાહુલે ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પૂછ્યું છે કે, તેઓ ભારતમાં ઘુસી ગયેલી ચીની સેનાને ક્યારે અને કેવી રીતે બહાર કાઢશે?
રાહુલ ગાંધીએ વીડિયો બહાર પાડ્યો છે અને કહ્યું છે કે, "આખો દેશ જાણે છે કે ચીને ભારતની પવિત્ર ભૂમિ છીનવી લીધી છે. ચીન લદાખમાં ચાર સ્થાન છીનવીને બેઠો છે. મોદીજી, દેશને કહો કે તમે ભારતમાંથી ચીનની સૈન્ય ક્યારે બહાર કાઢશો? અને કેવી રીતે?
उम्मीद है देश हित में इन सुझावों को PM ज़रूर मानेंगे।
કોરોનાથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને જોતા રાહુલ ગાંધીએ ફરી એક વાર છ મહિના માટે ગરીબોના ખાતામાં સાડા સાત હજાર રૂપિયા જમા કરાવવાની માંગની પુનરાવર્તન કર્યું છે અને એમ પણ કહ્યું હતું કે સરકાર આમ એક બાજુ નાણાંનો અભાવ હોવાનો ઇનકાર કરે છે, જ્યારે સરકારે 15 ધનિક લોકોના લાખો કરોડો રૂપિયા માફ કર્યા હતા.
तू इधर उधर की न बात कर,
ये बता कि क़ाफ़िला कैसे लुटा,
मुझे रहज़नों से गिला तो है,
पर तेरी रहबरी का सवाल है।
આ ઉપરાંત PM મોદી ઉપર હિન્દી કવિતા સ્વરૂપે રાહુલ ગાંધીએ પ્રહાર કર્યો હતો. આ કવિતામાં એક કાફલો લુંટાયો છે તેનું રૂપક લેવામાં આવ્યું છે. કવિ કહે છે કે આડી અવળી વાત કર્યા તમે એવી વાત કરો કે કાફલો કેવી રીતે લુંટાયો. કવિ ઉમેરે છે કે તેમને લુંટારા ઉપર તો આક્રોશ છે જ પરંતુ કાફલાના વડાની અવ્યવસ્થાને પણ તેઓ જવાબદાર ઠેરવે છે. નોંધનીય છે કે અહીં તેમણે નરેન્દ્ર મોદી ઉપર સીધું નિશાન સાધ્યું હતું.
ન્યાય યોજના હેઠળ રૂપિયા જમા કરાવવાની માંગ કરી
રાહુલ ગાંધીએ કહ્યું કે, "કોરોનાએ અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન કર્યું છે. અમે સરકાર પાસે છ મહિના માટે દરેક ગરીબ પરિવારના ખાતામાં ન્યાય યોજના હેઠળ રૂપિયા જમા કરાવવાની માંગ કરી હતી. પરંતુ સરકારે પૈસાની અછત દર્શાવીને ના પાડી છે જ્યારે 15 ધનિક લોકોના લાખો કરોડો રૂપિયાના માફ કરાયા છે."
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવા અંગે પણ પોતાનો વાંધો ઉઠાવ્યો
રાહુલ ગાંધીએ છેલ્લા 3 મહિનામાં 22 વખત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવા અંગે પણ પોતાનો વાંધો ઉઠાવ્યો છે. રાહુલે કહ્યું કે સરકાર પાસે પૈસાની કમી નથી.
પોતાનો વીડિયો ટ્વીટ કરતી વખતે રાહુલે એમ પણ કહ્યું હતું કે "આશા છે કે વડા પ્રધાન દેશના હિતમાં આ સૂચનો સ્વીકારશે. આ જ સાચી દેશસેવા અને રાષ્ટ્રભક્તિ છે."