દેશમાં વધી રહેલી બેરોજગારીને લઈને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વાર ફરી કેન્દ્રની મોદી સરકાર પર નિશાનો સાધ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી બેરોજગારીના મુદ્દા પર સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે , 1 નોકરી 1 હજાર બેરોજગાર, શુ કર્યો દેશોનો હાલ, તેમણે એક ન્યૂઝ આર્ટિકલને શેર કર્યો હતો. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે સરકારી પોર્ટલ પર એક અઠવાડિયામાં 7 લાખ લોકોએ નોકરી માટે અરજી કરી છે.
બેરોજગારીને લઈને સતત કેન્દ્ર સરકાર પર નિશાનો સાધી ચૂક્યા છે
કે ઈમેજ સુધારવા માટે પૈસાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
રાહુલે રવિવારે નીટ અને જેઈઈને લઈને ચિંતા વ્યક્ત કરી હતી
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી દેશની અર્થવ્યવસ્થા અને બેરોજગારીને લઈને સતત કેન્દ્ર સરકાર પર નિશાનો સાધી ચૂક્યા છે. હાલમાં જ તેમણે આરોપ લગાવ્યો હતો કે ઈમેજ સુધારવા માટે પૈસાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે ટ્વીટ કર્યુ હતુ કે આર્થિક પડતી, બેરોજગારી, ચીનની આક્રમક્તા છે. સરકાર કરદાતાઓના પૈસા ઈમેજ સુધારવામાં લગાવી રહી છે. કોંગ્રેસે એ પણ કહ્યું હતુ કે સરકારે અર્થવ્યવસ્થાની સ્થિતિમાં સુધારો અને રોજગારી વધારવા પોતાની યોજના વિશે દેશને જણાવવું જોઈએ.
ત્યારે રાહુલે રવિવારે નીટ અને જેઈઈને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી રહ્યુ હતુ કે ભારત સરકારે નીટ, જેઈઈ પરિક્ષા અંગે વિદ્યાર્થીઓના મનની વાત સાંભળવી જોઈએ અને સ્વીકાર્ય સમાધાન સુધી પહોંચવું જોઈએ.’ ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓનું વર્ષ વ્યર્થ ન જાય તે માટે સોમવારે જેઈઈ (મેઈન) અને નીટ સ્નાતકની પરિક્ષા સ્થગિત કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. તેનું આયોજન સપ્ટેમ્બરમાં કરવાનું નક્કી કર્યુ છે.