અમદાવાદઃ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદોના માનમા ગુજરાતના વેપારીઓએ સ્વયંભુ બંધ રાખીને પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો. ત્યારે અમદાવાદના કાલુપુરમાં ચા વાળા એક યુવાનની અનોખી પહેલ સામે આવી છે. જેમાં તેણે શહીદોને મદદ કરવા એક દિવસની પોતાની આવક શહીદોના નામે કરી છે.
ત્યારે આ સામાન્ય ચાની કીટલીવાળો શહીદોને મદદ કરવા એક દિવસ શહિદોના નામે કર્યો છે. તેણે પોતાની ચા વાળાએ બોર્ડ લટકાવ્યુ છે જેના પર લખ્યું છે કે 'આજનો દિવસ શહીદ પરિવારના નામ પર' જેને લઈને લોકો ચા પીને 10 રૂપિયાની ચાની કિમંતના બદલે 100 રૂપિયા રાહત ફંડમા આપ્યા હતા. બોર્ડમાં લખ્યું કે આજે રોકડા. પોતાના દ્વારા શહીદોના પરિવારોને બનતી મદદ કરવા અપીલ કરી હતી.
મળતી માહિતી મુજબ આ એક દિવસનો જે પણ નફો થશે તે સૈનિકોના પરિવારને આપવામાં આવશે. તેમજ આ ચાની કિટલી પર લોકોએ પાકિસ્તાન વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યકત કર્યો હતો.