રત્ન શાસ્ત્ર અનુસાર પુખરાજ રત્નને ધારણ કરવાથી ગુરુ ગ્રહ મજબૂત બને છે અને ધનલાભ થાય છે.
પુખરાજ રત્ન ધારણ કરવાથી મળે છે સુખ સમૃદ્ધિ
બૃહસ્પતિને પ્રબળ બનાવે છે આ રત્ન
અપાવે છે અઢળક ધનલાભ
પુખરાજ રત્ન ધારણ કરવાથી મળે છે સુખ સમૃદ્ધિ
રત્ન શાસ્ત્રમાં ઘણા રત્નો અને ઉપરત્નો વિષે માહિતી આપવામાં આવી છે. દરેક રત્ન કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. કુંડળીમાં કોઈપણ ગ્રહને મજબૂત કરવા અને તેના શુભ ફળોની પ્રાપ્તિ માટે રત્નો ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. રત્નશાસ્ત્રમાં પુખરાજને અત્યંત શક્તિશાળી રત્ન માનવામાં આવ્યું છે. અ રત્નને દેવગુરુ બૃહસ્પતિને મજબૂત કરવા માટે ધારણ કરવામાં આવે છે. જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને સુખ - સમૃદ્ધિ અને ધન સંપત્તિનો કારક માનવામાં આવે છે.
કોઈપણ જાતકની કુંડળીમાં ગુરુના મજબૂત થવા પર વ્યક્તિને સુખી અને સંપન્ન જીવનની પ્રાપ્તિ થાય છે. રત્ન શાસ્ત્રમાં આ રત્નને ધારણ કરવાના ઘણા લાભ જણાવવામાં આવ્યા છે, પણ એક ખાસ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે રત્ન હંમેશા જ્યોતિષની સલાહ લઈને જ ધારણ કરવું જોઈએ. આવો જાણીએ કઈ રાશિના જાતકોએ પુખરાજ રત્ન ધારણ કરવું જોઈએ.
આ રાશિના જાતકો ધારણ કરી શકે છે પુખરાજ રત્ન
રત્ન શાસ્ત્ર અનુસાર, જો પુખરાજ કોઈ જાતકને સુટ થઇ જાય છે તો 30 દિવસમાં જ તેની અસર જોવા મળે છે. પુખરાજ રત્ન બૃહસ્પતિનું પ્રતિનિધિત્વ કરે છે. આવામાં બૃહસ્પતિનાં સ્વામિત્વવાળી રાશિઓ ધનુ, મીન રાશિના જાતકો માટે તો આ રત્ન વરદાન સમાન છે. જ્યારે મેશ,કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિના જાતકો પણ આ રત્ન ધારણ કરી શકે છે.
આ લોકોએ ભૂલથી પણ ધારણ ન કરવું જોઈએ પુખરાજ
હંમેશા જ્યોતિષની સલાહથી જ કોઈપણ રત્ન ધારણ કરવું જોઈએ. આવામાં પુખરાજ રત્ન વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિના જાતકોએ ભૂલથી પણ ધારણ ન કરવું જોઈએ. અમુક પરિસ્થિતિઓમાં જ આ રાશિના જાતકોને આ રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે, પણ કોઈપણ રત્ન ધારણ કરતા પહેલા એકવાર પોતાના જ્યોતિષની સલાહ અવશ્ય લેવી જોઈએ.
પુખરાજ ધારણ કરવાના લાભ
રત્ન શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે પુખરાજ વ્યક્તિની બુદ્ધિ, સ્મરણ શક્તિ અને જ્ઞાનમાં વધારો કરે છે. સાથે જ, જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ લાવે છે. વ્યક્તિની ધન-સંપત્તિમાં વધારો થાય છે. વ્યક્તિના આત્મ વિશ્વાસમાં વધારો થાય છે, સમાજમાં માન - સમ્માન વધે છે. એટલું જ નહીં, લગ્ન જીવન પણ સુખમય રહે છે અને મનને શાંતિ મળે છે.
પુખરાજ ધારણ કરવાની વિધિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ ઓછામાં ઓછા 3.25 કેરેટનું પુખરાજ ધારણ કરવું જોઈએ. કહેવાય છે કે આ રત્ન ગુરુવારના દિવસે સોના અથવા ચાંદીની વીંટીમાં ધારણ કરવામાં આવે છે. આ રત્ન ધારણ કરતા પહેલા તેને ગંગાજળ અને દૂધથી શુદ્ધ કરવામાં આવે છે. ગુરુવારના દિવસે સૂર્યોદય બાદ સ્નાન વગેરે કરીને આ રતનને પોતાના જમણા હાથની તર્જની આંગળીમાં પહેરવાથી લાભ થશે.