નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે નિવેદન જાહેર કરી સત્તારૂઢ બીજેપી પર આરોપ લગાવ્યો છે કે, જનતાની અવાજ દબાવવા માટે દેશમાં તાનાશાહીનું તાંડવ કરી રહી છે.
નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે
કોંગ્રેસ પાર્ટી શાંતિ અને એકતા બનાવી રાખવાની અપીલ કરે છે
તેઓએ એકવાર ફરી જોર આપીને કહ્યું કે, એનઆરસી અને નાગરિકતા સંશોધન કાયદો દેશની ગરીબ જનતા વિરુદ્ધ છે. પ્રિયંકાં ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી શાંતિ અને એકતા બનાવી રાખવાની અપીલ કરે છે.
બંધારણની વિરુદ્ધ છે NRC, CAA
એનઆરસી અને નાગરિકતા સંશોધન કાયદો ભારતના બંધારણની મૂળ આત્માની વિરુદ્ધ છે. કોઇપણ કિંમત પર બાબા સાહેબ આંબેડકરના બંધારણ પર હુમલો થવા દેવામાં આવશે નહીં. જનતા આ હુમલાની વિરુદ્ધ રોડ પર ઉતરીને બંધારણ માટે લડી રહી છે પરંતુ સરકાર હવે બર્બરતા અને હિંસા પર ઉતરી આવી છે.
નોંટબંધીની જેમ લાઇનમાં લાગશે લોકો
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, બીજેપી સરકારે જે પ્રકારે નોટબંધીમાં ગરીબોને લાઇનમાં ઉભા રાખ્યા હતા. હવે એનઆરસી અને નાગરિકતા સંશોધન કાયદાના નામ પર લોકોને લાઇનમાં ઉભા કરી કરશે. એક 'કટ ઓફ ડેટ' નક્કી કરશે અને દરેક ભારતીયને પોતાની ભારતીયતા સિદ્ધ કરવા માટે એ તારીખ પહેલા કોઇ માન્ય દસ્તાવેજ રજૂ કરવું પડશે. તેના કારણે મોટાભાગના ગરીબ અને વંચિત લોકોને હેરાન કરવામાં આવશે.
ગેરકાનૂની ધરપકડ નિંદનીય, હિંસામાં મરી રહ્યા છે લોકો
પ્રિયંકા ગાંધીએ પ્રદર્શન દરમિયાન ધરપકડને ગેરકાનૂની ઠેરાવતા તેની નિંદા કરી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, વિદ્યાર્થીઓ, બુદ્ધિજીવીઓ, સામાજિક કાર્યકર્તાઓ, વકીલો અને પત્રકારોની ગેરકાનૂની ધરપકડ નિંદનીય છે. આખા દેશ સહિત ઉત્તર પ્રદેશના દરેક જિલ્લાઓથી લોકોની ધરપકડ કરીને પોલીસ ક્યાં લઇ જઇ રહી છે, કોઇને ખબર નથી. આ લોકતંત્ર માટે કાળો દિવસ છે.