સગીર છોકરીઓની વિરૂદ્ધ વધતા યૌન ગુનાઓને કારણ દેશમાં રેપનાં આરોપીઓને મોતની સજા આપવાની માંગ પૂર જોશમાં ચાલી રહી છે. જે બાદ મહિલા અને બાલ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે "તેઓ બળાત્કારીઓને મોતની સજા આપવા માટે કાયદામાં સંશોધન કરવા અંગે વિચાર કરી રહી છે.
આ જ મામલે કેન્દ્ર સરકારે શુક્રવારનાં રોજ સુપ્રિમ કોર્ટમાં એક પત્ર જમા કરાવ્યો છે. જેમાં સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેઓ પોસ્કો એક્ટમાં સંશોધન કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે કે જેનાં આધારે 0થી 12 વર્ષની ઉંમર વચ્ચેની સગીર છોકરીઓ પર બળાત્કાર કરવાવાળાઓને ઓછામાં ઓછી મોતની સજા આપવાનું સુનિશ્ચિત કરવામાં આવશે.
Centre in its letter submitted to Supreme Court that it has started process to amend POCSO Act to ensure maximum punishment of death penalty in child rape cases between the age group of 0-12 age. Centre submitted its report while responding to a PIL. Further hearing on April 27 pic.twitter.com/UkNIAmETfI
કેન્દ્રએ દાખલ કરેલી એક જનહિત અરજીનાં જવાબમાં પોતાનો રિપોર્ટ જમા કરાવ્યો છે. આ મામલે આગળની સુનાવણી 27 એપ્રિલનાં રોજ થશે. તમને જણાવી દઇએ કે જમ્મુ-કશ્મીરનાં કઠુઆમાં 8 વર્ષની એક માસૂમ બાળકીને લગભગ એક સપ્તાહ સુધી બંધક બનાવીને તેની ઉપર સતત બળાત્કાર કરીને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવતા તે આરોપીઓને સજા આપવાની માંગ લોકો દ્વારા શરૂ કરવામાં આવી છે.