આજે પીએમ નરેન્દ્ર મોદી ઓક્સિજન અને દવાઓના મુદ્દા પર બેઠક કરવા જઈ રહ્યા છે.
પીએમએ 16 અને 23 એપ્રિલે પણ બેઠક કરી હતી
દિલ્હીમાં બત્રા હોસ્પિટલમાં 12 દર્દીઓના જીવ પણ ગયા
પીએમ નરેન્દ્ર મોદી આ મુદ્દા પર બેઠક કરવા જઈ રહ્યા
આ બેઠક રવિવારે સવારે સાડા 9 વાગ્યે શરુ થશે
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ગત અનેક કહેર વર્તાવ્યો છે. એક વાર ફરી કેસ 4 લાખની નજીક પહોંચ્યા છે. આની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી ઓક્સિજન અને દવાઓના મુદ્દા પર બેઠક કરવા જઈ રહ્યા છે. આ બેઠક રવિવારે સવારે સાડા 9 વાગ્યે શરુ થશે. જેમાં પીએમ દવાઓની ઉપલબ્ધતા અને ઓક્સિજન પર એક્સપર્ટ્સની સાથે બેઠક કરશે.
પીએમએ 16 અને 23 એપ્રિલે પણ બેઠક કરી હતી
પીએમ મોદી ગત મહિને પણ ઓક્સિજનની અછતને લઈને અનેક બેઠક કરી ચૂક્યા છે. તેમણે 16 અને 23 એપ્રિલે પણ બેઠક કરી હતી. પીએમે દર ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા અનુસાર, ઓક્સિજન ઉત્પાદન વધારવાની સલાહ પણ આપી હતી. સમીક્ષા દરમિયાન પીએમે અધિકારીઓને કહ્યુ હતુ કે તે ઓક્સિજન લઈ જનારા ટેંકરોના પૂરા દેશમાં આગમનને સુનિશ્ચિત કરે.
દિલ્હીમાં બત્રા હોસ્પિટલમાં 12 દર્દીઓના જીવ પણ ગયા
ગત મહિને શરુઆતના દિવસોથી દેશમાં કોરોનાના મામલા તેજીથી વધી રહ્યા છે. જેના કારણે રાષ્ટ્રીય રાજધાની સહિત અન્ય રાજ્યોએ કહ્યું કે ઓક્સિજનની અછત થવા લાગી છે. શનિવારે ઓક્સિજનની અછતના કારણે દિલ્હીમાં બત્રા હોસ્પિટલમાં 12 દર્દીઓના જીવ પણ ગયા છે. ત્યારે અનેક અન્ય હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત થઈ રહી છે. આ અછતને દુર કરવા માટે કેન્દ્ર , રાજ્ય સરકારની સાથે ઉદ્યોગપતિઓ પણ સામે આવ્યા છે.
Prime Minister Narendra Modi to meet experts at 9:30 am today to review oxygen and medicine availability.#COVID19pic.twitter.com/lLMvbV59aM
કોરોનાના 3 લાખ 92 હજાર 459 નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમિતોની કુસ સંખ્યા વધી 1,95,49,910 થઈ ગઈ તથા 3684 લોકોના મોત થયા છે એ બાદ કુલ મોતની સંખ્યા વધીને 2,15,523 થઈ ગઈ છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 33,43,910 થઈ ગઈ છે. જે સંક્રમણના કુલ કેસના 17.06 ટકા છે. તથા દર્દીઓના સાજા થવાનો દર વધારે ઘટીને 81.84 ટકા રહી ગયો છે. આંકડા અનુસાર દેશમાં સંક્રમણ બાદ સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 1,59,81,772 થઈ ગઈ છે. મૃત્યુદર 1.11 ટકા છે. આઈસીએમઆરના જણાવ્યાનુસાર 30 એપ્રિલ સુધી 28,83,37,385 નમૂનાની તપાસ કરવામાં આવી છે. જેમાં 19, 45, 299 નમૂનાની શુક્રવારે તપાસ કરવામાં આવી છે.