ઉત્તરપ્રદેશના પ્રવીણને પોલીસ ધર્માંતરણના મામલે ઉઠાવીને લઈ ગઈ હતી જો કે બાદમાં ATS દ્વારા કલીનચિટમળતા તે છૂટી ગયો હતો પણ તેનો સામાજિક બહિષ્કાર યથાવત રહ્યો હતો/
મુસ્લિમ ધર્મ કબૂલ નથી :પ્રવીણ કુમાર
ધર્માંતરણ સર્ટિફિકેટે પ્રવીણનું સન્માન તાર તાર કર્યું
સામાજિક બહિષ્કારથી પીડાઈ રહ્યો છે પ્રવીણ
મેરઠમાં રહેતા પ્રવીણ કુમારનું નામ મુસ્લિમ ઘર્મની કબૂલાત કરવા વાળા લોકોની સૂચિમાં સામેલ હતું. પરંતું તેમનો દાવો છે કે બધુ ખોટું છે. ઉતરપ્રદેશ એટીએસએ પણ તેમણે ક્લીનચિટ આપી દીધી છે. પરંતું તે છતાં સામાજિક બહિષ્કાર અને અન્ય ખતરાનો સામનો કરી રહ્યો છે.
ઉત્તર પ્રદેશ એટીએસએ થોડા દિવસ પહેલા જ ફોસલાવીને મુસ્લિમ ધર્મ કબૂલ કરવાના આરોપસર કેટલાક લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસને ઘણા લોકોના નામ મળ્યા હતા જેમને મુસ્લિમ ધર્મ કબૂલ કર્યો હતો. અને જેમનું કથિત રીતે ધર્માન્તર કરવામાં આવ્યું. આ લિસ્ટમાં મેરઠના રહેવાસી પ્રવીણ કુમારનું પણ નામ હતું. જો કે તેમનો દાવો છે કે તેમનું નામ ખોટી રીતે જોડી દેવામાં આવ્યું છે. હવે યુપી એટીએસએ તેમણે ક્લીનચિટ આપી છે પરતું તે હવે સામાજિક બહિષ્કાર સામે ઝઝૂમી રહ્યા છે.
ઓળખ અને આબરૂ માટે કોર્ટના શરણે
પ્રવીણ કુમાર તેમની ખોવાયેલી ઓળખ અને સન્માન મેળવવા સુપ્રીમ કોર્ટ સુધી 200 કિલોમીટર ચાલી તેમની રજૂઆત કરવા નીકળી ચૂક્યા છે.. જ્યાં ચાલીને સુપ્રીમ કોર્ટ સુધી જઈ તેમની ઠેસ પહોંચેલી આબરૂ માટે અરજી કરશે. આ સફર દરમિયાન તેમને મુશળધાર વરસાદ સહિત અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે આ સફર મંગળવારે શરૂ કરી છે અને લગભગ 11 દિવસ બાદ સુપ્રીમ કોર્ટ પહોંચશે.
કોણ છે પ્રવીણ કુમાર?
પ્રવીણ કુમાર એક પીએચડી સ્કૉલર છે. તેમણે યુપી એટીએસએ ગત મહિનામાં ધર્માંતરણ મામલે તેમના ગામ શિતલા ખેડાથી ઉઠાવી લીધા હતા. તે બાદ તેમણે ગામમાંથી તિરસ્કારીનો સામનો કરવો પડ્યો. તે પોતાની જાતને હિન્દુ રાષ્ટ્રવાદી માને છે. તેમણે પ્રધાનમંત્રી મોદી અને સીએમ યોગી પર એક પુસ્તક પણ લખ્યું છે.
પ્રવીણનું કહેવું છે કે..
' હું ઈચ્છું છું કે દેશ એ જાણે કે તે કઈ સમસ્યાથી પીડાઈ રહ્યો છે. એક દિવસ તે ઊંઘીને ઉઠયા તો તેમના ઘરની બહાર 'આતંકવાદી' અને 'પાકિસ્તાન જાઓ' તેવું લખેલું હતું. તેમનું કહેવું છે કે તે એક શેરડીની મિલમાં ઓફિસર છે. તે મોટી કોર્ટમાં માંગ કરશે કે તેમનું નામ સ્પષ્ટ કરે. તેમણે આશા છે કે આ બાદ પરિસ્થિતિમાં સુધારો આવશે'
સર્ટિફિકેટમાં હતું પ્રવીણનું નામ
યુપી એટીએસએ 23 જૂનના રોજ પ્રવિણના ઘરે દરોડા પાડયા હતા. એટીએસની ટીમ અબ્દુલ સમદની શોધખોળ કરી રહી હતી. અને તેમની પાસે એક લિસ્ટ તેમજ સર્ટિફિકેટ હતું, જેમાં મુસ્લિમ ધર્મની કબૂલાત કરેલા લોકોની જાણકારી હતી. સર્ટિફિકેટમાં પ્રવિણનો ફોટા સાથે અબ્દુલ સમદ નામ લખેલું હતું જે બાદ પ્રવીણ કુમારની પોતે હિન્દુ છે તેની સાબિતીની સફર ચાલુ થઈ.