કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે કહ્યું કે પ્રધાનમંત્રી પદ માટે કોઈ પણ જગ્યા હવે ખાલી નથી અને 2024 ની લોકસભાની ચૂંટણીમાં એમનડીએ જ જીતશે.
દેશની જનતાએ બે વખત નરેન્દ્ર મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે
પ્રધાનમંત્રી પદ માટે કોઈ પણ જગ્યા હવે ખાલી નથીઃધર્મેન્દ્ર પ્રધાન
2024 માં ફરી નરેન્દ્ર મોદી જ વડાપ્રદાન તરીકે ચૂંટાશેઃઅમિત શાહ
નોબલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેનની ટિપ્પણી, " ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીમાં પ્રધાનમંત્રી બનવાની ક્ષમતા છે. પણ તેમને પૂછવામાં આવેલા એક સવાલ પર જવાબ આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હાલના સમયમાં લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પૂરે પૂરો વિશ્વાસ છે અને જનતા આગામી સમયમાં આવનાર ચૂંટણીમાં એમની સાથે જ ઉભી રહેશે.
દેશની જનતાએ બે વખત નરેન્દ્ર મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ગરીબો, મહિલાઓ, યુવાનો, પછાત અને ગ્રામીણ લોકોએ પીએમ મોદીને દેશ ચલાવવાની જવાબદારી સોંપી છે. દેશની જનતાએ નરેન્દ્ર મોદી પર સતત બે વખત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમાં કોઈ શંકા નથી કે 2024માં પણ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એનડીએ જીતશે.
2024 માં ફરી નરેન્દ્ર મોદી જ વડાપ્રદાન તરીકે ચૂંટાશેઃઅમિત શાહ
દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે જણાવ્યું હતું કે તાજેતરમાં પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો માત્ર રાજ્ય માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે એક સંદેશ આપે છે. કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી 2024માં ફરી વડાપ્રધાન તરીકે ચૂંટાશે. વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્પષ્ટ સંદર્ભમાં શાહે કહ્યું કે ગુજરાતના લોકોએ તેમની વિરુદ્ધ મત આપનારાઓને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને રાજ્યમાં રેકોર્ડ સંખ્યામાં બેઠકો સાથે સત્તા જાળવી રાખવામાં મદદ કરીને એ લોકોને જવાબ આપ્યો. જેમણે ગુજરાતને બદનામ કરવાની કોશિષ કરી.
શાહે કહ્યું કે ગુજરાતનાં લોકો જાતિવાદનાં ઝેરના પૂર્ણ કરવા માટે કામ કર્યું છે અને જૂઠા વાયદા અને આકર્ષક વાયદાઓ કરવાવાળાને થપ્પડ મારી છે. ગુજરાતનાં લોકોએ ગુજરાત અને નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોશિષ કરવાવાળાને જવાબ આપ્યો છે. શાહે કહ્યું કે રાજ્યનાં વિકાસ માટે ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોને વિસ્તારની ગણાવવાની જરૂર નથી. કેમ કે લોકોએ ચૂંટણીમાં તેનો જવાબ આપી દીધો છે.