પ્રધાનમંત્રી જનધન યોજનાની આજે છઠ્ઠી વર્ષગાંઠ છે. વર્ષ 2014માં આજના દિવસે આ યોજના લોન્ચ કરવામાં આવી હતી. 6 વર્ષમાં આ યોજનાએ ગરીબો, મહિલાઓ, વૃદ્ધો, ખેડૂતો અને મજૂરોને ઉલ્લેખનીય લાભ આપ્યો છે. 19 ઓગસ્ટ સુધીના આંકડા અનુસાર આ યોજનાના આધારે 40.35 કરોડ બેંક ખાતા ખૂલ્યા છે.
pmjdy યોજનામાં મળે છે આ 11 લાભ
આટલા લાખનો મળે છે ઈન્શ્યોરન્સ કવર
આ રીતે મળે છે pmjdy યોજનાનો લાભ
19 ઓગસ્ટ સુધીના આંકડા અનુસાર આ યોજનાના આધારે 40.35 કરોડ બેંક ખાતા ખૂલ્યા છે. યોજનાના આધારે બેંક ખાતામાંથી 63.6 ટકા ખાતા ગ્રામીણો માટે ખોલાયા છે. આ આંકડામાંથી અડધાથી વધારે બેંક ખાતા મહિલાઓ માટે ખોલાયા છે.
આ એકાઉન્ટ સાથે મળે છે 11 લાભ
જનધન ખાતું ફ્રીમાં ખોલી શકાય છે તેમાં મિનિમમ બેલેન્સ રાખવું પડતું નથી.
6 મહિના બાદ ઓવર ડ્રાફ્ટની સુવિધા મળે છે
2 લાખ રૂપિયા સુધી એક્સિડેન્ટલ ઈન્શ્યોરન્સ કવર મળે છે.
30000 રૂપિયા સુધીનો લાઈફ કવર, જે લાભાર્થીના મૃત્યુ પર યોગ્ય શરતો પૂરી કરવાથી મળે છે
ડિપોઝિટ પર વ્યાજ પણ મળે છે.
ખાતાની સાથે ફ્રી મોબાઈલ બેંકિંગની સુવિધા મળી રહે છે.
જનધન ખાતું ખોલવા માટે રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે તેનાથી તે ખાતાથી રૂપિયા કઢાવી શકાય છે કે ખરીદી પણ કરી શકાય છે.
જનધન ખાતાની મદદથી વીમા, પેન્શન પ્રોડક્ટ ખરીદવું સરળ બને છે.
જનધન ખાતું છે તો પીએમ ખેડૂત અને શ્રમયોગી માનધન યોજનામાં પેન્શન માટે ખાતું ખોલી શકાશે
દેશભરમાં રૂપિયા ટ્રાન્સફર કરવાની સુવિધા અપાય છે.
સરકારી યોજનાનો ફાયદો સીધો રૂપિયાથી ખાતામાં મળે છે.
કોરોના સંકટમાં જનધન બેંક ખાતું કરે છે તમારી મદદ
આ ખાતાથી કોરોનામાં ગરીબો, મહિલાઓ, વૃદ્ધો, ખેડૂતો અને મજૂરોને મદદ કરવા માટે પીએમ મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજની જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે પણ જાહેરાત કરતાં રહ્યું કે મહિલા જનધન ખાતાધારકોને 3 મહિના એપ્રિલ, મે અને જૂન માટે 500 રૂપિયા પ્રતિ મહિનાની મદદ માટે રૂપિયા ટ્રાન્સફર કરાશે. આ માટે 30705 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.
86 ટકાથી વધારે જનધન ખાતા છે ઓપરેટિવ
40.35 કરોડ જનધન ખાતામાંથી 86.3 ટકા એટલે કે 34.81 કરોડ બેંક ખાતા ઓપરેટિવ છે. આરબીઆઈના દિશા નિર્દેશના આધારે જનધન ખાતાને ઈન ઓપરેટિવ માનવામાં આવે છે. જેનાથી બેંક ખાતાથી 2 વર્ષ સુધી લેન દેન થતું નથી. આ જનધન ખાતાધારકોની સુવિધા માટે બેંકોએ જનધન મોબાઈલ એપ પણ લોન્ચ કરી છે. જેનાથી બેંક, બ્રાન્ચ, એટીએમ, પોસ્ટ ઓફિસની લોકેશન એક ટચથી જાણી શકાય છે. આ એપમાં 8 લાખ ટચ પોઈન્ટને જીઆઈએસથી એક્સેસ કરી શકાય છે.
6 વર્ષમાં બેંક ખાતામાં અઢી ગણા રકમ જમા કરાઈ
પ્રધાનમંત્રી જનધન યોજનાના બેંક ખાતામાં રકમ જમા કરાય છે. ઓગસ્ટમાં 2015માં 1779 રૂપિયા, ઓગસ્ટમાં 2016માં 1747 રૂપિયા, ઓગસ્ટ 2017માં 2521 રૂપિયા, ઓગસ્ટ 2019માં 2783 રૂપિયા અને ઓગસ્ટ 2020માં 3239 રૂપિયા દરેક બેંક ખાતામાં જમા થયા છે. આ આંકડા પર નજર કરીએ તો 3239 રૂપિયા દરેક બેંક ખાતામાં જમા થયા છે. ઓગસ્ટ 2015ની સરખામણીએ 2.5 ગણા વધારે ધન રાશિ જમા થઈ છે.
આ હેતુથી શરૂ થઈ હતી યોજના
નાણાંકીય સમાવેશન, ગરીબો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડવા માટે જે લોકો બેંકિંગ સિસ્ટમથી જોડાયા નથી તેમને બેંકિંગ સાથે જોડવા માટે મોદી સરકારે પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કરી હતી. કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2014ના રોજ પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી. પીએમની જાહેરાત બાદ આ યોજનાને અધિકૃત રીતે 28 ઓગસ્ટ 2014ના રોજ લોન્ચ કરાઈ હતી.