અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક તરફ કોર્પોરેશન અમદાવાદ એરપોર્ટથી સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ સુધીનો રસ્તો ઠીક કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ તેઓ આ માર્ગ વચ્ચે આવતી ઝૂંપડપટ્ટીની સામે દિવાલ બનાવીને તેને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ટ્રમ્પને આવકારવા તંત્રની તડામાર તૈયારીઓ
ગરીબી છૂપાવવા ઉભી કરી દિવાલ
મેયર આ બાબતથી અજાણ હોવાની કરી વાત
વહીવટીતંત્ર અમદાવાદ એરપોર્ટથી હાસોલ સર્કલની વચ્ચે આવેલી ઝૂંપડપટ્ટીની સામે દિવાલ બનાવીને અહીંના ગરીબ અને લોકોની પરિસ્થિતિ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેને કારણે અહીં રહેતા લોકો ખૂબ ગુસ્સે છે.
સરકારે ગરીબી છૂપાવવાના નહીં હટાવવા માટે પગલા લેવા જોઇએ
આ ઝૂંપડપટ્ટીમાં રહેતો એક વ્યક્તિ કહે છે કે અત્યાર સુધી અહીં લીલા રંગનું કાપડ મૂકવામાં આવતું હતો પરંતુ હવે દિવાલ બનાવવામાં આવી રહી છે. જો સરકાર ગરીબોની શરમ અનુભવે તો દિવાલ નહીં પણ ગરીબીને દૂર કરવા નક્કર પગલા લેવા જોઈએ.
Ahmedabad Municipal Corp is building a wall in front of slum along the road connecting Sardar Vallabhbhai Patel Intl Airport to Indira Bridge. The US Pres is scheduled to visit Ahmedabad during his 2-day India visit. Bijal Patel,Mayor says,"I haven't seen it,don't know about it". pic.twitter.com/moKjCy0M44
જો કે, આ તરફ દિવાલના કામકાજને લઇને અમદાવાદના મેયર બીજલ પટેલને પૂછવામાં આવ્યું તો તેમણે આ મામલા વિશે પોતે અજાણ છે તેવી વાત કરી હતી. જો કે, આ પહેલા જ્યારે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે અને ચીનના શી જિનપિંગ અને ઇઝરાયેલના નેતન્યાહુ ભારતના પ્રવાસે આવ્યા હતા ત્યારે અહીં લીલા રંગનો પડદો ઢાંકવામાં આવ્યો હતો.
અમદાવાદમાં યોજાશે કેમ છો ટ્રમ્પ કાર્યક્રમ
આપને જણાવી દઇએ કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24-25 ફેબ્રુઆરીના રોજ ભારત યાત્રા પર આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે કેમ છો ટ્રમ્પ નામનો કાર્યક્રમ યોજાવાના છે.
PM મોદી તથા ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમનું કરશે ઉદ્ઘાટન
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમનું 4 વાગ્યે ઉદ્ધાટન કરશે. મોટેરા સ્ટેડિયમ ખાતે 2 કલાકનો કાર્યક્રમ રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પને ગુજરાતના લોક સંગીત અને સંસ્કૃતિની ઝાંખી બતાવાશે. ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના દાંડિયા રાસ નિહાળશે. જેની રમતગમત મંત્રાલયને જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદમાં યોજાશે રંગારંગ કાર્યક્રમ
રંગારંગ કાર્યક્રમમાં ભારતના દિગ્ગજ ક્રિકેટરો પણ આવશે. સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર, કપીલ દેવ, સુનિલ ગાવસ્કર, ઈરફાન પઠાણ, પાર્થિવ પટેલને આમંત્રણ આપવામાં આવશે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થઇ ગયું છે.
હયાત હોટલમાં ટ્રમ્પ કરશે રોકાણ
ટ્રમ્પ વસ્ત્રાપુરની હયાત હોટેલમાં રોકાણ કરશે. જયારે ટ્રમ્પના કાફલાને આશ્રમ રોડની હયાતમાં સ્થાન આપવામાં આવશે. આથી હયાત હોટેલમાં બુકિંગ બંધ કરવામાં આવ્યુ છે. હયાતમાં 22થી 26 ફેબ્રુઆરી સુધી વસ્ત્રાપુર-ઉસ્માનપુરાની હયાત હોટેલમાં બુકિંગ બંધ કરવામાં આવ્યુ છે.