જાતિય સતામણીના મામલામાં જેલમાં મોકલવામાં આવેલા ચિન્મયાનંદ (Chinmayanand)ની મુશ્કેલીઓ વધતી દેખાઇ રહી છે. હવે સંતોના સર્વોચ્ચ નિર્ણય લેનાર સંગઠન અખિલ ભારતીય અખાડા પરિષદે (ABAP) ચિન્મયાનંદને સંત સમુદાયથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે.
વાજપેયી સરકારમાં કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી બન્યા હતા
એબીએપીના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિએ શનિવારે પરિષદની બેઠક બાદ કહ્યું કે ચિન્મયાનંદને સંત સમુદાયથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે. એમણે કહ્યું કે, 'અખિલ ભારતીય અખાડા પરિષદની ઔપચારિક બેઠક 10 ઓક્ટોબરે હરિદ્વારમાં થશે અને આ નિર્ણયને મહાગઠબંધનની મંજૂરી મળી જશે'. મહંત નરેન્દ્ર ગિરિએ આગળ જણાવ્યું કે, ચિન્મયાનંદે પોતાના કુકર્મોને સ્વીકાર્યા છે અને સંત સમુદાય માટે તે શરમજનક છે.
નોંધનીય છે કે, ચિન્મયાનંદ વર્તમાનમાં મહાનિર્વાણી અખાડાના મહામંડલેશ્વર છે. સંત સમાજથી બહાર થવાની સાથે જ 73 વર્ષીય ચિન્મયાનંદ હવે પોતાનું આ પદ પણ ગુમાવશે. જો તે સંત સમુદાયથી બહાર થઇ જાય છે તો પોતાના નામ આગળ 'સંત' અથવા 'સ્વામી' નહી લગાવી શકે.
કોણ છે ચિન્મયાનંદ?
રામમંદિરના આંદોલનથી લઇને રાજનીતિ આવનાર ચિન્મયાનંદ મૂળ રૂપે ગોંડાના નિવાસી છે. તેમનું ઘર ગોંડા જિલ્લાના પરસપુર ક્ષેત્રના ત્યોરાસી રમઇપુરમાં છે. ચિન્મયાનંદના બાળપણનું નામ કૃષ્ણપાલ હતું. ચિન્મયાનંદ પોલીટેક્નિકનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે ઝાંખી જોવા દિલ્હી ગયા તો ત્યાંથી પાછા ન આવ્યા. તેમણે ઇન્ટરમીડિએટની શિક્ષા પરસપુરના તુલસી સ્મારક ઇન્ટર કોલેજમાં હાંસલ કરી હતી.
વાજપેયી સરકારમાં રહી ચૂક્યા છે મંત્રી
ચિન્મયાનંદ પહેલીવાર ભાજપાના ટિકિટ પર ઉત્તર પ્રદેશની બદાયૂ લોકસભા બેઠકથી 1991માં સાંસદ બની ચૂક્યા છે. ત્યારબાદ 1998માં મછલીશહર અને 1999માં જોનપુરથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ વાજપેયી સરકારમાં કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી બનાવામાં આવ્યા. સ્વામી ચિન્મયાનંદ પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ પોતાના નજીકના બતાવે છે.
વીડિયો વાયરલ થયા બાદ પહોંચ્યા જેલ
સ્વામી શુકદેવાનંદ વિધિ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરનારી એલએલએમની એક વિદ્યાર્થીનીએ 24 ઓગસ્ટે એક વીડિયો વાઇરલ કરી સ્વામી ચિન્મયાનંદ પર શારીરિક શોષણ અને ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરવાનો આરોપ લગાવ્યા હતા. તથા પોતાના જીવને ખતરો હોવાનું જણાવ્યું હતું.
16 સપ્ટેમ્બરે પીડિતાની તરફથી દિલ્હી પોલીસને આપવામાં આવેલી ફરિયાદ નોંધવામાં આવી હતી. વિદ્યાર્થીનીએ સ્વામી ચિન્મયાનંદ પર લગભગ નવ મહીના સુધી યૌન શોષણ કરવા, દુષ્કર્મ કરી તેનો વીડિયો બનાવવો, ન્હાવાનો વીડિયો બનાવવો અને તેમને ગાયબ કરી સાક્ષીને દુર કરવાના ગંભિર આરોપ લગાવ્યા છે. 20 સપ્ટેમ્બરે ઉત્તરપ્રદેશની પોલીસની એસઆઇટીએ ચિન્મયાનંદને તેમના ઘરેથી ધરપકડ કરી હતી.