રાજ્ય સરકારે રથયાત્રા માટે બાંહેધરી આપતા નગરજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ, કોરોના મહમારીને ધ્યાને રાખી રાજ્ય સરકારે કોરોના પ્રોટોકોલ સાથે પરવાનગી આપી
અમદાવાદમાં નાથની નગરયાત્રાને મંજૂરી
ભાવિક ભક્તોમાં હરખ
કોરોના પ્રોટોકોલ સાથે પરવાનગી
નાથની નગરયાત્રા માટે પરવાનગી મળી ગઈ છે. 144મી રથયાત્રામાં નાથ નગરજનોના ઘરે આવશે. નાથની નગરયાત્રા અંગે VTVએ પહેલાં જ સમાચાર પ્રસ્તુત કર્યા હતા કે રથયાત્રાને પરમિશન મળશે. જો કે અંતે રાજ્ય સરકારે રથયાત્રા માટે બાંહેધરી આપતા નગરજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. કોરોના મહમારીને ધ્યાને રાખી રાજ્ય સરકારે કોરોના પ્રોટોકોલ સાથે પરવાનગી આપી છે.
નિયમો સાથે નીકળશે નાથનો રથ
નાથની યાત્રા હશે ભક્તો વિનાની
60 ખલાસીઓ ખેંચશે રથ
19 કીમી હશે રથયાત્રા
રથયાત્રામાં 5 જેટલા વાહનો સામેલ થશે
મહંત અને ટ્રસ્ટી અને 3 રથ સાથે 5 વાહનોને પરમિશન આપવામાં આવશે
ખલાસીઓ 48 કલાક અગાઉનો RT-PCT નેગેટિવ હશે તો જ ભાગ લઈ શકશે
વેક્સિનનું પ્રથમ ડોઝ લીધેલા ખલાસીને અગ્રીમતા આપવામાં આવશે
રથયાત્રા સાથે જોડાશે તેને ફેસ કવર માસ્કના નિયમનો પાલન કરવાનું રહેશે
હાથી, ટ્રક, ભજન મંડળી ,અખાડાને મજૂરી આપવામાં આવી નથી
રથયાત્રાના રૂટ પર પોલીસનું રહેશે સખત મોનિટરીંગ
લોકો મકાનની છત પર એકઠા ન થયા તે માટે મોનિટરીંગ
રથયાત્રા રૂટ પર 15 જેટલા ડ્રોન વડે મોનિટરીંગ કરશે
ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહનું નિવેદન
રથયાત્રાને લઈ રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે રથયાત્રા સાથે લોકોની આસ્થા જોડાયેલી છે,ત્યારે કોરોનાની ગાઈડ લાઈન સાથે આ વખતે રથયાત્રા યોજવા માટે સરકારે સત્તાવાર કરી છે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે, રથયાત્રાના રથ પરત ન આવે ત્યા સુધી કર્ફ્યૂનો અમલ રહેશે, સમગ્ર રથયાત્રા દરમિયાન તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે તમામ ચેનલો પર તેનું પ્રસારણ કરવામાં આવનાર છે તેવું રથયાત્રાના દિવસે મંગળા આરતી માટે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત આવશે અને મંગળા આરતીમાં ભાગ લેશે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. રાજ્ય સરકારે રથયાત્રાને મંજૂરી આપી છે. આ અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીએ કહ્યું કે, રાજ્ય સરકારે કોરોના નિયમ મુજબ રથયાત્રા કાઢવા મંજૂરી આપી છે. આ સમાચાર સાંભળી ખુશી થાય છે કે નાથ નગરચર્યાએ નીકળશે. નગરજનોને કર્ફ્યૂનું પાલન કરવા અપીલ કરી છે. અને ટીવીના માધ્યમથી ભગવાનના દર્શન કરવા કહ્યું છે. મંદિર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
AMAના ડૉક્ટરનું નિવેદન
અમદાવાદમાં રથયાત્રાને મંજૂરી મળ્યા બાદ AMAના ડો.મોના દેસાઇનું નિવેદન સામે આવ્યું છે. ડૉક્ટર મોના દેસાઇએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. લોકોને ઘરે બેસી ભગવાનના દર્શન ટીવી પર કરવા અપીલ કરી છે. રથયાત્રા દરમ્યાન બિન જરૂરી એકત્ર ન થવા માટે ડૉક્ટર એસોસિએશનના ડૉ.મોના દેસાઈએ કહ્યું છે.
રથયાત્રાનું જીવંત પ્રસારણ જોઈ શકાશે
આ વખતે યોજાનાર રથયાત્રાને શરતો સાથે યોજવા માટે સરકારે મંજૂરી આપી છે, જેમાં રથયાત્રાનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવનાર છે, ઉલ્લેખનિય છે કે આવખતની રથયાત્રામાં હાથ, ટ્રક, અખાડાઓને અને ભજન મંડળીઓને મંજૂરી આપવામાં આવી નથી, તેમજ સવાર પંહિંદવિધિ બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે, ઉલ્લેખનિય છે કે રથયાત્રામાં રથ પરત ન આવે ત્યાં સુધી સમગ્ર શહેરમાં કર્ફયૂ રહેશે. સમાચાર માધ્યમોથી રથયાત્રાનું જીવંત પ્રસારણ જોઈ શકાશે
પહિંદવિધિ બાદ સવારે રથ નિજ મંદિરથી પ્રસ્થાન કરશે
હવે જ્યારે રથયાત્રને સરકારની મંજૂરી મળી ગઈ છે રથયાત્રાના આયોજની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જો કે રથયાત્રાને લઈ પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી હવે જ્યારે એની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગ રૂપે આગોતરી જાણકારી આપવામાં આવી છે. રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી નિજ મંદિર ખાતે આરતીમાં કરશે, ત્યારે બાદ સવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સવારે મંગળા આરતીમાં ભાગ લેશે પહિંદવિધિ બાદ સવારે રથ નિજ મંદિરથી પ્રસ્થાન કરશે.
ભક્તો રોડ પર આવીને દર્શન નહીં કરી શકે
શહેરમાં 19 કિ.મી રથયાત્રાના રૂપ પર આવતા તમામ વિસ્તારોમાં કર્ફ્યૂ લગાડવામાં આવશે જેથી ભક્તો રોડ પર આવીને દર્શન નહીં કરી શકે તેમજ અમદાવાદની રથયાત્રા સાથે 7 પોલીસ સ્ટેશનનો વિસ્તાર સંકળાયેલો છે જેથી 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ રહેશે. સવારે 4થી 5 કલાકમાં રથ નિજ મંદિર પરત ફરે ત્યાં સુધી એટલા સમય પૂરતો કર્ફ્યૂ રહેશે. સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કર્ફયૂ લગાવવામાં આવશે, જેમાં સ્થાનિક પોલીસ સાથે SRPની 20 ટૂકડીઓ ડિપ્લોય કરી દેવમાં આવી છે, રથયાત્રાના રથ નિજ મંદિરમાં પરત ફરતા જ કર્ફ્યૂમાંથી મૂક્તિ આપવામાં આવશે.
કર્ફ્યૂના નિયમોનું પાલન કરવા માટે મહંત દિલીપદાજીએ અપીલ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા રાજ્ય સરકારે રથયાત્રાને મંજૂરી આપી છે. ત્યારે જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીએ કહ્યું કે રાજ્ય સરકારે કોરોના નિયમ મુજબ રથયાત્રા કાઢવા મંજૂરી આપી છે. આ સમાચાર સાંભળી ખુશી થાય છે કે નાથ નગરચર્યાએ નીકળશે ત્યારે નગરજનોને કર્ફ્યૂના નિયમોનું પાલન કરવા માટે દિલીપદાજીએ અપીલ કરી છે અને ટીવીના માધ્યમથી ભગવાનના દર્શન કરવા કહ્યું છે. મંદિર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાને મંજૂરી મળતા હવે ભક્તોમાં પણ ખુશી જોવા મળી રહી છે.