યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા આઝમગઢમાં ફરી એક વાર ઝેરીલા દારૂએ તાંડવ મચાવ્યું છે. થોડા કલાકોમાં જ ત્રણ લોકોના મોત થઈ ગયા હતા.
આઝમગઢમાં દેશી દારૂ પિવાથી લોકોના મોત
ઝેરીલો દારૂ પિવાથી લોકોના મોત
અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયાં
યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા આઝમગઢમાં ફરી એક વાર ઝેરીલા દારૂએ તાંડવ મચાવ્યું છે. થોડા કલાકોમાં જ ત્રણ લોકોના મોત થઈ ગયા હતા. એક ડઝનથી વધારે લોકો બિમાર પણ થઈ ગયા હતા. અમુક ગ્રામિણ લોકોના જણાવ્યા અનુસાર સાત લોકોના મોત થઈ ચુક્યા છે. ઘટનાથી અહરૌલા પોલીસ સ્ટેશનના કેટલાય ગામોમાં તેનાથી હાહાકાર મચી ગયો છે.
સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો
અડધો ડઝનથી વધારે ગામમાં દારૂના કારણે પરિવારમાં હડકંપ મચેલો છે. મોતથી આક્રોશિત લોકોએ માહુલ એરિયામાં ચક્કાજામ પણ કર્યું હતું. ચૂંટણીના કારણે બેનામી દારૂની રેલમછેલ વહી રહી છે. જેના કારણે આવી દુર્ઘટના થતી રહે છે.
દેશી દારૂ પિવાથી મોતને ભેટ્યા
કહેવાય છે કે, અહરૌલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારવાળા માહુલમાં દેશી દારૂની દુકાનમાંથી રવિવાર સાંજે વેચેલો દારૂ ઝેરીલો હોવાનું સામે આવ્યું છે. તેને પીધા બાદ લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી અને ત્રણ લોકોના મોત થઈ ગયા હતા. 12થી વધારે લોકો અલગ અલગ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
ગત વર્ષે પણ 30 લોકોના મોત થયા હતા
ત્રણ લોકોના મોત અને કેટલાય લોકો ઘાયલ થયા બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ગામમાં મહિલાઓ અને જિલ્લા મુખ્યાલય પર હોસ્પિટલથી લઈને પોસ્ટમોર્ટમ હાઉસ સુધી લોકોના હાલ બેહાલ છે. ગત વર્ષે મે મહિનામાં પણ ઝેરીલો દારૂ પિવાથી મિતુપુર ગામમાં 30થી વધારે લોકોના મોત થઈ ગયા હતા.