યુક્રેન અને રશિયા વચ્ચે જંગ ખતમ થવાનું નામ નથી લઈ રહી ત્યારે આજે QUAD નેતાઓની આજે ફરી મહત્વની બેઠક યોજાશે.
યુક્રેન અને રશિયા વચ્ચે જંગ વચ્ચે આજે ફરી QUAD નેતાઓની બેઠક
પ્રધાનમંત્રી મોદી વર્ચ્યૂઅલી આપશે હાજરી
રશિયા-યુક્રેન જંગ મુદ્દે કરી શકે ચર્ચા
મળતી વિગત પ્રમાણ, QUAD નેતાઓની આજે યોજાનારી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી QUAD નેતાઓની વર્ચ્યુઅલ બેઠકમાં હાજરી આપશે, ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે મંથન કરવામાં આવી શકે છે.
PM Narendra Modi to participate in #QUAD Leaders' virtual meeting today. He will attend the meeting along with USA President Joe Biden, Prime Minister of Australia Scott Morrison and Japan PM Fumio Kishida.
— All India Radio News (@airnewsalerts) March 3, 2022
કોણ-કોણ લેશે ભાગ?
ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથોસાથે અમેરિકન રાષ્ટ્રપતિ બાયડન, ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી તથા અન્ય લીડર્સ ભાગ લેશે.
રશિયાના દાવાને ભારતે ફગાવ્યો
યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવ્યાનો રશિયાનો દાવો ખોટો હોવાની માહિતી ભારતીય વિદેશ મંત્રાલયે આપી છે. આવી કોઈ માહિતી મળી ન હોવાના સમાચાર એમ્બસી દ્વારા આપવામાં આવી હતી.રશિયાએ દાવો કર્યો છે કે તેની સેના કિવ અને ખાર્કિવમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરી રહી છે, પરંતુ યુક્રેને ભારતીયોને બંધક બનાવી લીધા છે.
વિદેશ મંત્રાલયનો ખુલાસો
જોકે, આ દાવાન થોડા જ કલાકોમાં ભારતે આ દાવાને ફગાવી દીધો હતો. વિદેશ મંત્રાલય દ્વારા આજે સવારે જારી કરાયેલા નિવેદનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાં અમારું દૂતાવાસ ત્યાંના ભારતીય નાગરિકોના સતત સંપર્કમાં છે. MEA એ કહ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનિયન વહીવટીતંત્રની મદદથી ગઈકાલે ખાર્કિવ છોડી ગયા હતા. અમને યુક્રેનમાં કોઈપણ વિદ્યાર્થીને બંધક બનાવવામાં આવ્યા હોવાના કોઈ અહેવાલ મળ્યા નથી.
ભારતીય વિદ્યાર્થીઓનો ઢાલ તરીકે યુક્રેન કરે છે ઉપયોગ: રશિયા
મહત્વનું છે કે, મોદી-પુતિનની મંત્રણા અંગે ભારત સરકાર દ્વારા ટૂંકી માહિતી આપવામાં આવી હતી. પરંતુ રશિયા સરકાર દ્વારા તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં યુક્રેન પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેની સેના ભારતીય વિદ્યાર્થીઓનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે. રશિયન સેના કોરિડોર બનાવીને તેમને સુરક્ષિત રીતે નીકાળવાની વ્યવસ્થા કરી રહી છે. એ પહેલાં સવારના દિવસમાં ભારતમાં રશિયાના નવા રાજદૂત ડેનિસ અલીપોવ અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ખારકિવથી ભારતીય વિદ્યાર્થીઓને રશિયા મોકલવા પર બંને દેશો વચ્ચે વાટાઘાટો કરવાનો સંકેત આપ્યો હતો.
કોરિડોર દ્વારા ખારકિવમાંથી બહાર કાઢવાનો પ્રયાસ
ત્રણ જ દિવસમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થયેલી આ બીજી વાતચીત છે. ક્રેમલિન તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પુતિને વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે રશિયન પક્ષ ભારતીય વિદ્યાર્થીઓને નજીકના રશિયન પ્રદેશમાં લઈ જવા માટે કોરિડોર દ્વારા ખારકિવમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું કે, રશિયન સેના ભારતીય નાગરિકોને યુદ્ધના મેદાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેના તમામ પ્રયાસ કરી રહી છે.
ભારતનું ચોખ્ખું નિવેદન
રશિયાનું આ નિવેદન ભારતે ચિંતા વ્યક્ત કર્યા બાદ આવ્યું છે કે ભારતીય નાગરિકો હજુ પણ ત્યાં ફસાયેલા છે અને તેમને બહાર કાઢવાનો સુરક્ષિત રસ્તો મળવો જોઈએ. આ પછી રશિયાએ યુક્રેન પર જ ગંભીર આરોપ લગાવ્યા હતા. જો કે, MEAએ એક નિવેદન જારી કરીને મીડિયાના સવાલોના જવાબ આપ્યા જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે શું ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં બંધક છે? વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે રશિયા, રોમાનિયા, પોલેન્ડ, હંગેરી, સ્લોવાકિયા અને મોલ્ડોવા સહિત ક્ષેત્રના તમામ દેશો સાથે કામ કરી રહ્યા છીએ.