સરદાર વલ્લાભભાઈ પટેલની 144મી જન્મજયંચિ નિમિત્તે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના એક માત્ર ન્યુટ્રીશિયન પાર્કનું ઉદ્ઘાટન કરશે. ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક સામાન્ય ચિલ્ડ્રન પાર્ક નથી દેશમાં ઘણા ચિલ્ડ્રન પાર્ક છે પરંતુ કેવડિયા ખાતે આવેલ આ ચિલ્ડ્રન પાર્ક તેની એક અલગ વિશેષતા ધરાવે છે. આ ચિલ્ડ્રન પાર્કને ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક કહેવાય છે.
કેટલા વિસ્તારમાં અને ખર્ચામાં બન્યો છે આ પાર્ક
કુપોષણનું પ્રમાણ ઘટાડવા ભારત સરકારનો સંકલ્પ
ટોય ટ્રેન 7 સ્ટેશનો પર ઊભી રહેશે
ન્યુટ્રીશિયન પાર્ક એટલા માટે કે આ ચિલ્ડ્રન પાર્કમાં આવનાર પ્રવાસીઓને પોતાના બાળકોને કેવો પૌષ્ટિક આહાર આપવો જોઈએ અને કયો આહાર બાળકોની તંદુરસ્તી માટે પોષણ યુક્ત છે તે દરેક બાબતની જાણકારી આપતું ભારતનું સૌ પ્રથમ અને એક માત્ર આ ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવ્યો છે. ભારતનો પહેલો ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક કેવડીયામાં બની રહ્યો છે.અને આ પાર્ક 30 ઓક્ટોમ્બર પહેલા સંપૂર્ણ રીતે બની જશે જેને 31 ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લું મુકશે.
કેટલા વિસ્તારમાં અને ખર્ચામાં બન્યો છે આ પાર્ક
ન્યૂટ્રીશિયન પાર્કને 8 એકર વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે. આ પાર્ક બનાવવાનો ખર્ચ 30 કરોડનો થયો છે.
કુપોષણનું પ્રમાણ ઘટાડવા ભારત સરકારનો સંકલ્પ
બાળકોના સ્વાસ્થ્ય અને ખોરાકને લગતી બાબતોની માહિતી મળશે. કુપોષણનું પ્રમાણ ઘટાડવા ભારત સરકારનો સંકલ્પ છે. 38 ટકા કુપોષણના દરને ઘટાડીને 25% સુધી લઇ જવાનો સંકલ્પ છે.
મનોરંજન સાથે માહિતી
ટોય ટ્રેન મારફતે મનોરંજન સાથે લોકોને માહિતી મળશે. આ ન્યૂટ્રીશિયન પાર્ક 5 ઝોનમાં વિસ્તરેલું છે. ઓડિયો તથા વીડિયો ફિલ્મના માધ્યમથી લોકોને માહિતગાર કરાયા છે. બાળકો માટે રૂ.125 તથા વયસ્ક વ્યક્તિ માટે રૂ.200 ટિકિટનો દર રાખવામાં આવ્યો છે.
ટોય ટ્રેન 7 સ્ટેશનો પર ઊભી રહેશે
ટોય ટ્રેન 7 સ્ટેશનો પર ઊભી રહેશે. એક્તા જંક્શન, ન્યુટ્રિ હન્ટ, પયોનગરી, અન્નપુર્ણા,મનોરંજન,પોષણપુરમ,અને સ્વસ્થ ભારત સ્ટેસન ઉપર ટ્રેન મુકામ કરશે. દરેક સ્ટેશન પર બાળકોને પોષણનું જ્ઞાન પીરસાશે.
આ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં એક ટોય ટ્રેન છે.જે બાળકોને પાર્કમાં અલગ અલગ સ્ટેશને લઇ જશે જ્યાં ન્યુટ્રિશનની શું વેલ્યુ છે? કયો ખોરાક બાળકોના પોષણ માટે ઉત્તમ ગણાય છે, કયો ખોરાક ખાવાથી બાળકોની હેલ્થ સારી રહે છે આવી દરેક માહિતી અલગ અલગ સ્ટેશને પ્રવાસીઓને આપવામાં આવશે. આ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં અલગ અલગ સ્ટેશન હશે,
1. ફલ સખમ ગ્રોઅમ જેમાં ફળોની વિશેષતા અને તેમાં રહેલા પૌષ્ટિક તત્વો વિશે માહિતી આપવામાં આવશે
2. બીજું સ્ટેશન હશે પાયો નગરી જેમાં દૂધની વિશેષતા વિશે જણાવવામાં આવશે સાથે બાળકો ટોય ટ્રેનમાં બેસીને એક ટનલમાંથી પસાર થશે જે બાળકોને એક અલગ અનુભવ કરાવશે ત્યાર બાદ
3. ત્રીજુ સ્ટેશન અન્નપૂર્ણા જ્યાં ઘરના ખાવામાં શું વિશેષતા હોય છે તે સમજાવવામાં આવશે
4.ચોથું સ્ટેશન પોષણ પુરમ હશે ત્યાં બદામ, કાજુ, કિસમિસ જેવા ડ્રાયફ્રુટ્સ માંથી મળતા ન્યુટ્રીશન અંગે માહિતી મળશે અને આપણા જીવનમાં પાણીની વેલ્યુ અને પાણથી મળતા પોષણ અંગે પણ જાણકારી મળશે.
5. બાળકો માટે ખાસ બનાવાયુ છે ભુલ ભુલૈયા. વળી એક થિયેટરમાં વીડિયો દ્વારા ભારત દેશની પરંપરાગત વાનગીઓ અને તેની પોષ્ટીકતા અંગે માહિતી આપવામાં આવશે.
6. ન્યુટ્રીહંટ હશે જેમાં મધર કેર રૂમ, ગેમઝોન પણ હશે જેમાં નવ જાત શિશુને લઈને આવેલ માતાઓ સ્તન પાન પણ કરાવી શકશે. ગેમઝોન હશે જેમાં બાળકો અલગ અલગ પ્રકારની ગેમ રમી શકશે.
7. ફિટ ઇન્ડિયા સ્વસ્થ ભારત કરીને એક સ્ટેશન હશે જેમાં બાળકો વર્ચ્યુલ ક્રિકેટ,વર્ચ્યુલ ટેનિસ જેવી અનેક ગેમ્સ અહીં રમી શકશે.