કોરોના વાયરસ સંકટની વચ્ચે આજે કેન્દ્રીય મંત્રીમંડળની ફરી એકવાર બેઠક મળી હતી. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વડા પ્રધાન નિવાસ સ્થાને આ બેઠક મળી હતી. સવારે 11 વાગ્યે શરૂ થયેલી આ બેઠક બે કલાક સુધી ચાલી હતી. જેમાં વરિષ્ઠ પ્રધાનોએ ભાગ લીધો હતો. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બે વટહુકમોને મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક
પીએમ આવાસ પર થઈ મિટીંગ
2 વટ હુકમોને આપવામાં આવી મંજૂરી
આમાં અસેન્સિયલ કોમોડિટીઝ એક્ટ, એપીએસી એક્ટમાં સુધારાને મંજૂરી આપવામાં આવી છે. હવે ખેડુતો સીધો પોતાનો પાક વેચી શકશે. હવે દેશ દેશના ખેડુતો માટે બજાર બનશે. સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં આ નિર્ણયો વિગતવાર આપવામાં આવશે.
કેબિનેટના નિર્ણયમાં આ ઉપરાંત કૃષિ ઉત્પાદનોના સંગ્રહની મર્યાદા નાબૂદ કરવામાં આવી છે. ફક્ત ખૂબ જ જરુરી પરિસ્થિતિમાં આ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે તેની જાહેરાત 20 લાખ કરોડના પેકેજમાં કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ સપ્તાહમાં યોજાનારી આ બીજી મોદી પ્રધાનમંડળની બેઠક છે.
મોદી સરકારના બીજા કાર્યકાળને તાજેતરમાં જ એક વર્ષ પૂર્ણ થયું છે. આવી સ્થિતિમાં આ સોમવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં એમએસએમઇ ક્ષેત્ર અને ખેડૂતોને લઈને કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. ત્યારે આજે એક બેઠક યોજાઈ રહી છે. નોંધનીય છે કે બુધવારે જ કેન્દ્રીય કેબિનેટની બેઠક હોય છે.
દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અનલોક 1 હેઠળ અનેક પ્રકારની છૂટ આપવામાં આવી રહી છે. બીજી તરફ આજે જ ચક્રવાત તોફાન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ત્રાટકવાનું છે. આ દરમિયાન દરેકની નજર કેન્દ્રિય મંત્રીમંડળની બેઠક પર છે.
સોમવારે મળેલી બેઠકમાં મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા હતા
આ અઠવાડિયાની શરૂઆતમાં મળેલી સેન્ટ્રલ કેબિનેટની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આમાં કેન્દ્ર સરકારે એમએસએમઇ ક્ષેત્રની વ્યાખ્યા બદલી, સાથે સાથે હવે દેશના ખેડુતો કોઈપણ બજાર અને કોઈપણ રાજ્યમાં તેમનો પાક વેચી શકશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગત દિવસોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સીઆઈઆઈ કાર્યક્રમમાં કહ્યું હતું કે હવે લોકડાઉન ભૂલીને અનલોક તરફ પ્રયાણ કર્યુ છે. વડા પ્રધાને ઉદ્યોગપતિઓને ખાતરી આપી હતી કે સરકાર તેમની સાથે છે અને ફરી એકવાર દેશની અર્થવ્યવસ્થા ઝડપી બનાવવામાં આવે.