પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપીક 24મેથી રીલીઝ થઈ રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અભિનેતા વિવેક ઓબેરોયે સાથે બેસીને ફિલ્મ નિહાળી હતી. આ ફિલ્મના નિર્માણને લઈ રૂપાણીએ જણાવ્યુ હતું કે આ ફિલ્મ પ્રધાનમંત્રીના જીવન સફરને કેમેરામાં કંડારી છે. જેથી નવી પેઢી પ્રધાનમંત્રીની જીવન યાત્રાથી પરિચીત થશે. આ સાથે સાથે મુખ્યમંત્રી રૂપાણીએ 23મેના દિવસે ફરી નરેન્દ્ર મોદીની સરકાર બનશે તેવું પણ આહવાન કર્યુ હતું.