જબલપુરઃ પ્રધાનમંત્રી મોદીએ મંડલામાં પંચાયતી રાજ દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે "ગાંધીજી કહ્યું હતું કે ભારતની ઓળખ ગામડાંઓથી છે. તેઓએ જણાવ્યું કે ગાંધીજીનાં સપનાને અમે સાકાર કરીશું. તેઓએ કહ્યું કે માં નર્મદાએ આપણને જીવન અન્ન અને સમૃદ્ધિ આપી છે. માં નર્મદાને હું વારંવાર પ્રણામ કરું છું.
ત્યાં બીજી બાજુએ મોદીએ POCSO એક્ટમાં કરવામાં આવેલ ફેરફાર વિશે પ્રથમ વાર ખુલ્લા મને વાત કરી હતી. તેઓએ જણાવ્યું કે "જે પણ રાક્ષસ આવું કામ કરશે તેને ફાંસી પર લટકાવી દેવામાં આવશે. આજની કેન્દ્ર સરકાર લોકોની ભાવનાઓને સમજે છે અને એમનાં હિસાબનો નિર્ણય પણ બરાબર રીતે લે છે.
આ એક પ્રકારનો સામાજિક ફેરફાર છે. આપણે આપણાં દીકારાઓને પણ સમજાવવા પડશે. દીકરાઓને દીકરીઓની ઇજ્જત કરતા શીખવવું પડશે. પરિવારોએ ઘરની અંદર જ આ ફેરફારની શરૂઆત કરવી પડશે.
નવી યોજનાઓનો શુભારંભઃ
ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે "પંચાયત પ્રતિનિધિઓનાં સંમેલનમાં પ્રધાનમંત્રી પંચાયત પ્રતિનિધિઓને રાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રદાન કરશે અને રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન યોજનાનો શુભારંભ પણ કરશે. તોમરે જણાવ્યું કે બે દિવસીય સમારોહનાં પહેલા જ દિવસે જબલપુરમાં "પંચાયતની ચૌપાલમાં ચર્ચા" કાર્યશાળાનું આયોજન પણ કરવામાં આવ્યું.
આમાં પંચાયતોમાં આર્થિક વિકાસ સામાજિક અને સતત વિકાસ લક્ષ્ય યુવા પંચાયત અને ડિજિટલ પંચાયતોનાં માધ્યમથી ગ્રામીણ પરિવર્તન અને સ્વચ્છ ભારત અભિયાન પર પણ ચર્ચા કરવામાં આવી છે.
PMની પહેલા CM કરશે 8 કલેક્ટરો સાથે ચર્ચાઃ
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ 23 એપ્રિલનાં રોજ 8 જિલ્લાઓનાં તે કલેક્ટરો સાથે ચર્ચા કરશે કે જેની સાથે 24 એપ્રિલનાં રોજ PM મોદી ચર્ચા કરવાનાં છે. મુખ્યમંત્રીએ કલેક્ટરોને કહ્યું કે તેઓ સંપૂર્ણ અધ્યયન કરીને જાય. રામનગરમાં યોજાનારા કાર્યક્રમમાં પહેલા PMનું ભાષણ થશે. ત્યાર બાદ જનપ્રતિનિધિ અને કલેક્ટરો સાથે ચર્ચા કરશે.