પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ગુરુવારે 3 સેનાઓના સેનાપતિ ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ એટલે કે સીડીએસના પદને માટે મોટો નિર્ણય લીધો છે.
પીએમ મોદીએ કહ્યું કે દરેક રિપોર્ટમાં કહેવાયું છે કે 3 સેનાઓ જળ, થલ અને નભની વચ્ચે સમન્વય તો છે પણ આજે જે રીતે દુનિયા બદલાઈ રહી છે એવામાં ભારતને ટુકડાઓમાં વિચારવાથી ચાલી શકશે નહીં. અમે ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ એટલે કે સીડીએસની વ્યવસ્થા કરીશું. હાલમાં સીઓએસસી હતા. ચીફ ઓફ સ્ટાફ કમિટીમાં સેના, નૌસેના, વાયુસેના પ્રમુખ રાખે છે. સૌથી વરિષ્ઠ સદસ્યના ચેરમેન પણ નિયુક્ત કરવામાં આવે છે. આ પદ વરિષ્ઠતમ વ્યક્તિને રોટેશનના આધારે રિટાયરમેન્ટ સુધી આપવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી એક મોટી જાહેરાત કરી છે. ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ વધારવા હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂંક કરવામાં આવશે. જે આ ત્રણેય સેનાના સેનાપતિ હશે. સેનાના ઇતિહાસમાં આ પહેલી વાર પદ બનાવામાં આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ત્રણેય સેનાએ એક સાથે ચાલવું પડશે.
199માં કારગિલ યુદ્ધમાં જાણ્યું કે સેનાઓની વચ્ચે તાલમેલની ખામી રહી ગઈ હતી. ત્યારબાદ દેશમાં ચીફ ઓફ સ્ટાફનું પદ બન્યું અને તેનું કામ ફક્ત ત્રણ સેનાઓની વચ્ચે તાલમેલ બેસાડવાનું હતું. ત્યારબાદ 2012માં નરેન્દ્ર ચંદ્ર કાર્યદલે તેના માટે એક કાયમી પદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવાની માંગ કરી હતી.
આતંકવાદ પર પીએમ મોદીનો હુમલો
લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે દુનિયા આજે અસુરક્ષાથી ઘેરાયેલી છે. દુનિયાના કોઈને કોઈ ભાગમાં મોત મંડરાતી રહે છે. ભારત આતંક ફેલાવનારા સામે મજબૂતીથી લડી રહ્યું છે. પાકિસ્તાનનું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદને શરણ આપનારાને અમે દુનિયાની સામે છતાં કરશું અને સાથે જ આતંકીઓને પણ ખતમ કરશું. કેટલાક લોકોએ ભક્ત ભારત નહીં પડોસી રાષ્ટ્રને પણ આતંકવાદથી હેરાન કરી રાખ્યું છે. બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા આતંકવાદ સામે લડી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત મૂકદર્શક નહીં બને. આતંકવાદને એક્સપોર્ટ કરનારાને બહાર લાવવાનો સમય આવી ચૂક્યો છે.