વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં અયોધ્યા કેસનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કયું કે સમાજની એકતા અને અખંડતા માટે લોકો કેટલા સતર્ક રહે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સપ્ટેમ્બર 2010માં ઇલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા પછી જોવા મળ્યો હતો
પીએમ મોદીએ મન કી બાતમાં અયોધ્યા કેસનો કર્યો ઉલ્લેખ
દેશની એકતા અને અખંડતા માટે સમાજ સતર્ક : પીએમ મોદી
17 નવેમ્બર પહેલા જ અયોધ્યા કેસનો ચુકાદો આવી શકે છે
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સંપૂર્ણ થઇ ગયેલ છે
અયોધ્યા બાબરી મસ્જીદ - રામમંદિર મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સંપૂર્ણ થઇ ગયેલ છે. આશો એવી છે નવેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટ તેનો ફેસલો સંભળાવી દેશે ત્યારે વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં અયોધ્યા કેસનો ઉલ્લેખ કર્યો છે. પીએમ મોદીએ કયું કે સમાજની એકતા અને અખંડતા માટે લોકો કેટલા સતર્ક રહે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સપ્ટેમ્બર 2010માં ઇલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા પછી જોવા મળ્યો હતો.
અયોધ્યામાં કોઈ ચુકાદો આવે તે પહેલા વડાપ્રધાન મોદીનું નિવેદન કહ્યું 2010માં બધાએ કર્યો હતો નિર્ણયનો સમ્માન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપનો સમાજ હંમેશા દેશની એકતા અને સદભાવ માટે સતર્ક રહે છે. મને યાદ છે કે જ્યારે સપ્ટેમ્બર 2010માં ઇલાહાબાદ હાઈકોર્ટ દ્વારા રામમંદિર પર ફેસલો આપવામાં આવ્યો ત્યારે ભાત-ભાતના લોકો મેદાનમાં ઉતરી ગયા હતા. અમુક ભાષણબાજોએ પોતે ચમકવા માટે કેવા કેવા ભાષણો આપ્યા હતા, આ બધું 5 10 દિવસ ચાલતું રહ્યું પરંતુ દેશે આનંદદાયક બદલાવનો અનુભવ કર્યો હતો
ફેસલા પર બધાએ આપી સંયમિત પ્રતિક્રિયા
પીએમ મોદીએ કહ્યું કે 2010માં રામમંદિર પર જેવો ફેસલો આવ્યો તેવો જ રાજનીતિક દળો, સામાજિક સંગઠન, બધા જ સંપ્રદાય, સાધુ સંત અને સિવિલ સોસાયટી દ્વારા સંયમિત નિવેદન આપવામાં આવ્યા હતા. બધાએ ન્યાયપાલિકાના ગૌરવનું સન્માન કર્યુ. આથી આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણા દેશમાં કેટલી મોટી તાકાત છે.
પાંચ જજોની બેંચ દ્વારા 40 દિવસ સળંગ સુનાવણી કરીને નિર્ણય સુરક્ષિત રાખ્યો
આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બેંચ દ્વારા 40 દિવસ સળંગ સુનાવણી કરીને નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આ પીઠમાં ન્યાયમૂર્તિ એસ.એ.બોબડે,ન્યાયમૂર્તિ ધનંજય વાય.ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નઝીર પણ શામેલ છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનો કાર્યકાળ 17 નવેમ્બરે સમાપ્ત થઇ રહ્યો છે
સુપ્રીમ કોર્ટની ઊંચ જજોની બેંચ અયોધ્યામાં 2.77 એકર વિવાદિત ભૂમિ પર ત્રણ પક્ષકાર સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા એમ ત્રણેયને સરખી સરખી જમીન વહેચવાના ઇલાહાબાદ હાઈકોર્ટના સપ્ટેમબર 2010ના ચુકાદાના વિરુદ્ધ થયેલી 14 અપીલ પર સુનાવણી કરી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનો કાર્યકાળ 17 નવેમ્બરે સમાપ્ત થઇ રહ્યો છે એવામાં આશા છે કે 17 નવેમ્બર પહેલા જ અયોધ્યા કેસનો ચુકાદો આવી શકે છે.