અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં શતાબ્દી વર્ષ સમારોહમાં આજે પીએમ મોદી સંબોધન કર્યું હતું. પીએમ મોદી ભારતના ત્રીજા એવા પીએમ છે જે AMUમાં સંબોધન જેમણે AMUમાં સંબોધન કર્યું. આ પહેલા લાલબહાદુર શાસ્ત્રી આ યુનિવર્સિટીમાં ગયા હતા.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પીએમ મોદીનું સંબોધન
56 વર્ષ બાદ વડાપ્રધાન દ્વારા AMUમાં સંબોધન,વિશેષ ટપાલ ટિકિટ પણ જાહેર કરાઈ
પીએમ મોદીના આજના એક નિવેદનથી ઘણા બધાને પૂર્વ પીએમનું જૂનું નિવેદન યાદ આવ્યું
પીએમ મોદીના નિવેદનની ચર્ચા
આજે પીએમ મોદીએ AMUના 100 વર્ષ પૂર્ણ થવા પર કાર્યક્રમમાં ભાગ લીધો અને ઐતિહાસિક સંબોધન પણ આપ્યું. આ સંબોધનમાં પીએમ મોદીએ ઘણી બધા નિવેદનો આપ્યા પરંતુ એક નિવેદનને લઈને ચર્ચા તેજ થઇ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીએ આ નિવેદનથી પૂર્વ પીએમ મનમોહન સિંહને જવાબ આપી દીધો છે.
જે દેશનું છે તેના પર બધાનો અધિકાર છે : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે જે દેશનું છે તેના પર દરેક દેશવાસીનો અધિકાર છે અને તેનો લાભ બધાને મળવો જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે સર સૈયદનો સંદેશ કહે છે કે બધાની સેવા કરવામાં આવે, પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય. એવામાં દેશની સમૃદ્ધિ માટે તેનો વિકાસ થવો જરૂરી છે. આજે દરેક નાગરિકને કોઈ પણ ભેદભાવ વગર વિકાસનો લાભ મળી રહ્યો છે. નાગરિકૉ બંધારણથી મળેલા અધિકારીઓને લઈને નિશ્ચિત રહે કારણ કે સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસએ સૌથી મોટો મંત્ર છે.
શું હતો જૂનો વિવાદ
નોંધનીય છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે પહેલા કાર્યકાળમાં એક એવું નિવેદન આપ્યું હતું જેના પર ખૂબ વિવાદ થયો હતો. વર્ષ 2006માં તેમણે કહ્યું હતું કે દેશના સંસાધનો પર પહેલો અધિકાર દેશના અલ્પસંખ્યક નાગરિકોનો છે.
સિંઘે કહ્યું હતું કે સમાજમાં બધા જ પછાત અને લઘુમતી વર્ગ વિશેષરૂપે મુસ્લિમોને વિકાસનો લાભ મળી શકે તે માટે તેમના સશક્તિકરણની જરૂર છે અને દેશના સંસાધનો પર પહેલો અધિકાર તેમને જ છે. મનમોહન સિંઘના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ તે સમયે ખૂબ જ હંગામો કર્યો હતો અને તેના વર્ષો બાદ કોંગ્રેસને તે નિવેદન યાદ અપાવવામાં આવે છે. ભાજપ ઘણા વર્ષો સુધી આ મુદ્દાને ઉછાળતી રહી હતી .
મતભેદો બાજુમાં મુકવા અપીલ
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે સમાજમાં વૈચારિક મતભેદ થાય છે પણ જ્યારે રાષ્ટ્રના લક્ષ્યની પ્રાપ્તિની વાત આવે તો બધા જ મતભેદ બાજુમાં મૂકી દેવા જોઈએ. દેશમાં કોઈ પણ જાતી કે ધર્મના લોકો હોય તેમણે દેશને આત્મનિર્ભર બનાવવા માટે યોગદાન આપવું જોઈએ.
AMUમાં મીની ઇન્ડિયા : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે AMU તરફથી થોડા દિવસ પહેલા કોરોના વેક્સિન પર દરેક મદદ માટે એક પત્ર આપવામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે AMUમાં એક મીની ઇન્ડિયા છે જ્યાં હિન્દી-ઉર્દુ-અરબી-સંસ્કૃતનું જ્ઞાન આપવામાં આવે છે.
વિધાર્થીઓને પીએમ મોદીએ આપ્યા ટાસ્ક
પીએમ મોદીએ કહ્યું કે AMUના 100 વર્ષ પૂર્ણ થયા છે તો એવામાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ રિસર્ચ કરે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર એવા સ્વતંત્રતા સેનાનીઓ પર રિસર્ચ કરવામાં આવે જેમને હજુ સુધી ખૂબ ઓછા લોકો જાણે છે. વિદ્યાર્થીઓ 75 આદિવાસી સ્વતંત્રતા સેનાની, 25 મહિલા સેનાની વિશે જાણકારી એક્ઠી કરે.