વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળની પ્રથમ યાત્રા પર છે. જેમાં પીએમ મોદી કોચિના ગુરૂવાયૂરના શ્રીકૃષ્ણ મંદિર પહોંચ્યા. જયાં પીએમ મોદીએ ગુરૂવાયૂરમાં આવેલા શ્રીકૃષ્ણ મંદિરમાં પૂજા અર્ચના કરી છે. પીએમ મોદીની મંદિરમાં 112 કિલો કમળના ફુલોથી તુલાભારમ વિધિ કરવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરલના ત્રિશૂર જિલ્લાના ગુરૂવયૂરમાં આવેલ શ્રીકૃષ્ણ મંદિરના ગર્ભગૃહમાં વિશેષ પૂજા અર્ચના કરી. ત્યારબાદ પરંપરા મુજબ કમળના ફૂલોથી પીએમ મોદીની તુલાભારમ વિધિ કરવામાં આવી. પીએમ મોદી અહીંના પારંપરિક વેશ-ભૂષા મુંડૂના પહેરવેશમાં જોવા મળ્યા. પીએમ મોદીના આગમનને લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી આ મંદિરમાં પુજા-અર્ચના કરવા આવ્યા હતા.
Kerala: Prime Minister Narendra Modi at Sri Krishna Temple in Guruvayur of Thrissur. pic.twitter.com/hSH2UbMGIy
ત્રિશૂર જિલ્લામાં આવેલ આ મંદિર પૌરાણિક છે. આ મંદિર રાજ્યમાં હિન્દુ-પૂજા કરવાના મહત્વપૂર્ણ સ્થાનમાં એક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂજા-અર્ચના કર્યા બાદ અહીં તેમની કમળના ફૂલોથી તુલાભરમ વિધિ પણ કરવામાં આવી. વડાપ્રધાન મોદીના પ્રવાસને લઇને કેરળ ભાજપના પ્રમુખ શ્રીધરન પિલ્લઇએ આ અંગેની અગાઉથી જાણ કરી હ તી.
વડાપ્રધાન બન્યાં બાદ નરેન્દ્ર મોદી આજે પ્રથમવાર કેરળના સત્તાવાર પ્રવાસે છે. પીએમ મોદી કેરળ ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરશે. પીએમ મોદી આજે બપોરે કોચિથી માલદીવ જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા કાર્યકાળના પ્રથમ વિદેશ પ્રવાસે માલદીવ અને શ્રીલંકા જશે. માલદીવની સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે.
Kerala: Security tightened at Sri Krishna Temple in Guruvayur of Thrissur district where Prime Minister Narendra Modi will offer prayers today. pic.twitter.com/nALnOAN6vS