બેઠકમાં જનરલ બિપિન રાવતે કોરોના મહામારીને કાબૂમાં સશસ્ત્ર દળો દ્વારા કરાઈ રહેલા પ્રયાસો અને તૈયારીઓની જાણકારી પીએમ મોદીને આપી.
CDS બિપિન રાવતે પ્રધાનમંત્રી મોદીને મળ્યાં
નિવૃત સૈનિકો અને અધિકારીઓને પાછા બોલાવશે
સૈનિકો અને અધિકારીઓને હોસ્પિટલમાં ડોક્ટરોને મદદ કરશે
સીડીએસ રાવતે પીએમને જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં સશસ્ત્ર દળોમાંથી નિવૃત થયેલા કે સમય પહેલા રિટાયરમેન્ટ લેનાર તમામ મેડિકલ કર્મચારીઓને કોવિડ કેન્દ્રોમાં કામ કરવા બોલાવાઈ રહ્યાં છે. કામકાજનું સ્થળ તેમના ઘેરથી દૂર નહીં હોય.
નિવૃત સૈનિકોને પાછા બોલાવાશે
જનરલ બિપિન રાવતે પીએમને એવું પણ જણાવ્યું કે અગાઈ રિટાયર થયેલા બીજા મેડિકલ અધિકારીઓને પણ કોવિડ સેવા આપવાની વિનંતી કરાઈ છે. કમાન્ડ મુખ્યાલય, કોર્પ્સ કમાન્ડ, ડિવિઝન મુખ્યાલય તથા નેવી અને એરફોર્સના અધિકારીઓ તથા કર્મચારીઓને હોસ્પિટલોમાં તહેનાત કરવામાં આવશે.
સૈનિકો અને અધિકારીઓ હોસ્પિટલમાં સેવા આપશે
રાવતે પ્રધાનમંત્રીને એવી પણ જાણ કરી કે ડોક્ટરોને મદદ કરવા માટે સેંકડો નર્સિંગ કર્મચારીઓને પણ હોસ્પિટલોમાં મોકલાઈ રહ્યાં છે તથા સશસ્ત્ર દળોના મુખ્યાલયોમાં રહેલા ઓક્સિજન સિલિન્ડર્સને હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવી રહ્યાં છે.
સશસ્ત્ર દળો મોટી સંખ્યામાં મેડિકલ સુવિધાઓ ઊભી કરી રહ્યાં છે
રાવતે જણાવ્યું કે સશસ્ત્ર દળો મોટી સંખ્યામાં મેડિકલ સુવિધાઓ ઊભી કરી રહ્યાં છે જ્યાં લોકોને મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. પ્રધાનમંત્રીએ સશસ્ત્ર દળો દ્વારા થઈ રહેલા પ્રયાસો અને તૈયારીની પણ જાણકારી સીડીએસ રાવત પાસેથી મેળવી હતી. દૂરદરાજના વિસ્તારોમાં શક્ય હોય તેટલી વધારે સહાય પહોંચાડવા વિવિધ હેડક્વાર્ટર્સમાં તહેનાત કેન્દ્રીય અને રાજ્ય સૈનિક વેલ્ફેર બોર્ડના અધિકારીઓને દિગ્ગજોની સેવા સાથે કોર્ડિનેટ કરવાનું સૂચના આપવામાં આવી રહી છે.