પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માસિક કાર્યક્રમ મન કી બાતના 75માં સંસ્કરણમાં આજે વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. ત્યારે આજરોજ સુરેન્દ્રગર જિલ્લાને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનોખી રીતે યાદ કર્યો હતો.
75મી મનકી બાત થકી PM મોદીએ રાષ્ટ્રને કર્યું સંબોધન
સુરેન્દ્રનગર જિલ્લાને પણ કર્યો યાદ
કહ્યું- ઝીંઝુવાડાનું લાઇટ હાઉસ યુનિક છે
પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું હતું કે, આજે હું તમને એક Unique Light House વિશે જણાવી રહ્યો છું. આ લાઇટ હાઉસ Light house ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ઝીંઝુવાડા નામનું એક સ્થળ આવેલ છે. આ જગ્યા એટલા માટે ખાસ છે કારણ કે, અહીં light house છે. ત્યાંથી સમુદ્ર તટ 100 કિલોમીટર દૂર છે.
ઝીંઝૂવાડાને કર્યું યાદ
તેમણે વધુમાં કહ્યું કે, આ ગામમાં એવા પથ્થરો મળી જશે, જે તમને એવું બતાવે છે કે, અહીં ક્યારેક એક વ્યસ્ત બંદર હશે. તેનો અર્થ એવો થયો કે, અહીં પહેલા Coastline ઝીંઝુવાડા સુધી હતું. સમુદ્રનું ઘટવું, વધવુ, પીછેહઠ થવી અને આટલું દૂર ચાલ્યા જવું તે પણ તેનો સ્વભાવ છે.
PM મોદીએ મનકી બાતમાં દાંડી યાત્રાનો પણ કર્યો ઉલ્લેખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનકી બાતના 75માં સંસ્કરણમાં શ્રોતાઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, શ્રોતાઓના અભિપ્રાય જાણ્યા, નાગરિકોના સાથથી મન કી બાત સફળ થઇ છે. કેટલો સુખદ અવસર છે કે, આજે મનકી બાતનો 75મો એપિસોડ છે અને આ મહિનામાં દાંડી યાત્રાના 75માં અમૃત મહોત્સવનો પ્રારંભ થયો છે.
પ્રધાનમંત્રીએ 'અમૃત મહોત્સવ'નો ઉલ્લેખ કર્યો
તેમણે કહ્યું, 'આઝાદીની લડવૈયાની સંઘર્ષ ગાથા હોય, કોઈ સ્થાનનો ઇતિહાસ હોય, દેશની સાંસ્કૃતિક વાર્તા હોય,' અમૃત મહોત્સવ 'દરમિયાન તમે દેશમાં લાવી શકો, તે દેશવાસીઓને જોડવાનું માધ્યમ બની શકે છે તેની સાથે. તમે જોશો, ઝડપથી 'અમૃત મહોત્સવ' ઘણા બધા પ્રેરણાદાયક અમૃત બિંદુઓથી ભરાશે અને પછી આવા અમૃત પ્રવાહ વહેશે જે ભારતની આઝાદીના સો વર્ષો માટે પ્રેરણારૂપ હશે. દેશને નવી ઉંચાઇ પર લઈ જશે, કંઈક કરવાની ભાવના ઉત્પન્ન કરશે.
તાળી અને થાળીનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું કે ગયા વર્ષે આ વર્ષે દેશમાં પહેલીવાર જનતા કર્ફ્યુનું નામ સાંભળ્યું છે. તે સમય દરમિયાન, દેશ કોરોના વોરિયર્સ માટે એક થયો હતો. આજે ભારત વિશ્વનો સૌથી મોટો કોરોના રસી કાર્યક્રમ ચલાવી રહ્યો છે. તો આ સાથે જ ગયા વર્ષે કોરોના વોરિયર્સને બિરદાવવા માટે વગાડવામાં આવે તાલી અને થાળીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
PM મોદીએ વેક્સિન લગાવવાની કરી અપીલ
વેક્સિનેશ અંગેની વાતચીત પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કરી હતી. આ સાથે જ તેમણે દેશની જનતાને વેક્સિન લેવા માટે અપીલ પણ કરી હતી અને કહ્યું કે, કોરોનાથી લડવા માટેનો મંત્ર દવાઇ ભી ઓર કડાઇ ભીને પણ યાદ રાખવા કહ્યું હતું.
ગત એપિસોડમાં તમિલ ભાષા ન શીખા શખ્યાની કરી હતી વાત
ગયા મહિને 28 ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 74 મી આવૃત્તિમાં કહ્યું હતું કે, એક રીતે, પાણી પારસ કરતા વધારે મહત્વનું છે. એવું કહેવામાં આવે છે કે પારસના સ્પર્શથી લોખંડને સોનામાં ફેરવવામાં આવે છે. એમ પણ કહ્યું કે તમિળ એ એક સુંદર ભાષા છે, જે આખી દુનિયામાં લોકપ્રિય છે. ઘણા લોકોએ મને તમિળ સાહિત્યની ગુણવત્તા અને તેમાં લખેલી કવિતાઓની ઊંડાઈ વિશે ઘણું કહ્યું છે. મેં આ પ્રશ્ન પર વિચાર કર્યો અને મારી જાતને કહ્યું કે મારી એક ખામી એ છે કે હું વિશ્વની સૌથી પ્રાચીન ભાષા તમિલ શીખવા માટે ખૂબ પ્રયત્નો કરી શક્યો નથી, હું તમિળ શીખી શકતો નથી.