પ્રધાનમંત્રીએ અમેરિકા દ્વારા ભારતમાં પ્રાચીન વસ્તુઓ પરત કરવા માટે તેમને કરેલી પહેલની પ્રશંસા કરી
PM મોદી સ્વદેશ આવવા રવાના
USA દ્વારા 157 કલાકૃતિઓ ભારતને પરત કરાઇ
PM મોદીએ માન્યો અમેરિકાનો આભાર
પ્રધાનમંત્રી મોદીની યાત્રા દરમિયાન USA દ્વારા 157 કલાકૃતિઓ અને પૌરાણિક ચીજ-વસ્તુઓ સોંપાઈ હતી.
પ્રધાનમંત્રી એ સંયુક્ત રાજ્ય અમેરિકા દ્વારા ભારતને પૌરાણિક ચીજ-વસ્તુઓ પરત કરવા બદલ હૃદયથી આભાર માન્યો.પ્રધાનમંત્રીમોદી અને બાયડનએ, ચોરી, ગેરકાયદે વ્યાપાર, અને સાંસ્કૃતિક વસ્તુઓની તસ્કરી ખાળવાના પોતાના પ્રયાસોને મજબુત કરવાનો સંકલ્પ કર્યો. 157 કલાકૃતિઓની યાદીમાં 10મી સી ઈ ના બલુઆ પથ્થર માં જડેલા દોઢ મીટર સુધીની રીફીલ પેનલ થી માંડીને 8.5 મીટર લાંબા 12 મી સદીના કાન્સ્ય નટરાજ સહીત 45 જેટલી પૌરાણિક વસ્તુઓ જુદી-જુદી સદીને લાવી રહ્યા છે. સૈકાઓ જૂની પુરાત્વીય ભેટ,એ ભારત માટે ગૌરવાન્વિત કરવા જેવી બાબત તો છે જ સાથે જ પ્રધાનમંત્રી મોદી અને બાયડન વચ્ચે સાંસ્કૃતિક વિરાસતના જતન-રખોપાનું પ્રતિક પણ છે.
UNમાં પાકિસ્તાન પર કર્યા પ્રહાર
પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દેશ આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે તેમણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ ખતરો છે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે ન થાય. તો અફઘાનિસ્તાને લઈને પણ નિવેદન આપતા કહ્યું હતું કે,અફઘાનિસ્તાનની પરિસ્થિતિનો ઉપયોગ કોઈ દેશ પોલિટિકલ ટૂલની જેમ ઉપયોગ ન કરે.
ન્યુયોર્કમાં લાગ્યા ભારત માતા કી જયના નારા
જો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને UN મહાસભાના ગૃહની બહાર નીકળતા જોઈને તરત જ ભારતીય લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
બાળપણના સંસ્મરણો વાગોળ્યા
તો પોતાના કાર્યકાળ અને બાળપણના સંસ્મરણો વાગોળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતની ડેમોક્રેસની તાકાત છે કે, એક નાનકડું બાળક,જે ક્યારેક રેલવે સ્ટેશનના ટી સ્ટોલ પર પોતાના પિતાની મદદ કરી રહ્યું હતું. જે આજે ચોથી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે UNGAમાં સંબોધન કરી રહ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે, સૌથી લાંબા સમય માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ છેલ્લા 7 વર્ષથી ભારતના પ્રધાનમંત્રી તરીકે નાગરિકોની સેવા કરતા 20 વર્ષ થઈ રહ્યા છે.
વેક્સિનેશનને લઈને આપ્યું નિવેદન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સિનેશન મુદ્દે નિવેદન આપતા કહ્યું કે,ભારતમા 36 કરોડ લોકોને વીમા સુરક્ષા કવચ મળ્યું છે, 50 કરોડથી વધારે લોકોને મફત સારવાર આપી છે, ત્રણ કરોડથી વધારે પાકા ઘર બનાવ્યા છે. સેવા પરમો ધર્મ સાથે ભારત સીમિત સંશાધન છતાં વેક્સિન ઉત્પાદનમાં લાગેલું, ભારતે દુનિયાની પહેલી DNA વેક્સિન વિકસિત કરી લીધી હોવાની તેમણે વાત કરી હતી. આ સાથે જ તેમણે દુનિયાના વેક્સિન બનાવનાર કંપનીઓને ભારતમાં આવીને વેક્સિન બનાવવા આમંત્રણ આપ્યું હતું.
જ્યારે ભારતનો વિકાસ થાય છે ત્યારે વિશ્વનો વિકાસ થાય છે
સંયુક્ત રાષ્ટ્રમાં સામાન્ય સભાના સંબોધનમાં PM મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારોને યાદ કરીને એકાત્મ માનવવાદનો ઉલ્લેખ કર્યો હતો, આ સાથે જ તેમણે કહ્યું હતું કે, જ્યારે ભારતનો વિકાસ થાય છે ત્યારે વિશ્વનો પણ વિકાસ થાય છે, અમારી વિજ્ઞાન અને ટેકનોલોજી દુનિયાને મદદ કરી શકે છે.
કોરોનાના મૃતકોના પરિવારજનો માટે વ્યક્ત કરી સંવેદના
તેમણે સંબોધનની શરૂઆત કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તથા પરિવારજનોને સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા 100 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત સમગ્ર વિશ્વ આ મહામારીનો સામનો કરી રહ્યું છે.