ઓમ ઓર્ગેનિકમાં બ્લાસ્ટ થતા 6 કામદારોના મૃત્યુ થયા હતા, PM મોદીએ દુર્ઘટના મુદ્દે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો
ભરૂચના દહેજમાં બનેલી દૂર્ઘટના મામલે સહાય જાહેર
મૃતકોના પરિવારજનોને PM કેર ફંડમાંથી રૂ.2 લાખ સહાય
PM મોદીએ દુર્ઘટના મુદ્દે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો
ભરૂચ જિલ્લાના દહેજ ઔધોગિક વસાહત સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે આગની ઘટનામાં દાઝી જવાથી 6 લોકોના મોત થયા હતા.ભરૂચના દહેજમાં બનેલી આ ગોઝારી દૂર્ઘટના અંગે PM મોદીએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.તેમજ મૃતકોના પરિવારજનોને PM કેર ફંડમાંથી રૂ.2 લાખ સહાય, અને ઈજાગ્રસ્તોને પણ રૂ.50 હજાર સહાય આપવાની જાહેરાત કરી છે.
ટ્વીટ કરી શું કહ્યું?
પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદીએ ભરૂચમાં એક કારખાનામાં સર્જાયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. PMNRF તરફથી 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે તેમજ ઘાયલોને રૂ. 50,000ની સહાય કરવામાં આવશે.
PM @narendramodi has expressed grief on the loss of lives due to a mishap at a factory in Bharuch. He extends condolences to the bereaved families.
An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of the deceased. The injured would be given Rs. 50,000.
બ્લાસ્ટ થતા 6ના મોત
એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી વધી છે, તો બીજી તરફ આગના બનાવોમાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે ગત મોડી રાત્રે ભરૂચના દહેજમાં આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન જ બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવને પગેલ ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે, 6 લોકોના દાઝી જવાથી મોત નિપજ્યાં હતા.
ફાયર સેફટીને લઈ તપાસ તેજ
જ્યારે એક કામદારનો હજી સુધી કોઇ પત્તો ન મળતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી છે. આગ એટલી વિકરાળ હતી કે, કંપનીમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઇ ગયો છે. ઘટનાને પગલે હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ કંપનીમાં ફાયર સેફ્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.