સપા નેતા આઝમ ખાને કહ્યું કે હું ચૂંટણી લડવા ઇચ્છતો નહતો, પરંતુ કોઇ વિકલ્પ નહતો. એમને કહ્યું કે જો મે કોઇ ભૂલ કરી હોત તો મોદીજીએ 5 વર્ષમાં મને કુતુબમીનાર પર લટાકવી દીધો હોત.
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને કહ્યું કે હું ચૂંટણી લડવા ઇચ્છતો નહતો, પરંતુ કોઇ વિકલ્પ નહતો. એમને કહ્યું કે મે સોયની અણીની બરાબર પણ ખોટું કામ કર્યું હોત તો મોદીજીએ 5 વર્ષમાં મને કુતુબમીનાર પર લટકાવી દીધો હોત. એ મંગળવારે પુત્ર અબ્દુલ્લા આઝમની સાથે વોટ આપવા પહોંચ્યા હતા.
તાજેતરમાં જ સમાજવાદી પાર્ટીના નેચા અને રામપુર લોકસભા સીટથી ઉણેદવાર આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાને ભાજપ ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું હતું. અબ્દુલ્લાએ કહ્યું હતું કે 'અલી પણ અમારા છે. બજરંગ બલી પણ જોઇએ, પરંતુ અનારકલી જોઇતા નથી.'
Samajwadi Party leader and SP-BSP-RLD candidate from Rampur, Azam Khan, and his son Abdullah Azam Khan, cast their vote at a polling station in the district pic.twitter.com/b0UDW7Mw1s
રામપુરમાં રવિવારે પિતા આઝમના સમર્થનમાં એક જનસભાને સંબોધિત કરતા અબ્દુલ્લા ખાને કહ્યું હતું કે 'જે આપણા માથા પર ગુલામીનો કલંક હતો, એ ફરીથી લાગી જશે. ચૂંટણી વિકાસના નામ પર થઇ રહેલો વિકાસ 2014 કે 2017માં થયો નહીં.'
જણાવી દઇએ કે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રામપુર લોકસભા સીટથી સપાના ઉમેદવાર આઝમ ખાને જયા પ્રદાનું નામ લીધા વગર આપત્તિજનક નિવેદન આપ્યું હતું.