સંશોધિત નાગરિકતા કાયદાની જગ્યાએ પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતિઓની વિરુદ્ધ થઇ રહેલા અત્યાચારોનો વિરોધ કરવાની પીએમ મોદીની સલાહ પર કોંગ્રેસે મોટો પલટવાર કર્યો છે. પીએમ મોદી પર જવાબી હુમલો બોલતા કોંગ્રેસે ન માત્ર પોતાના શાસનકાળમાં થયેલા યુદ્ધોમાં પાકિસ્તાનને શીખવાડેલા પાઠની યાદ અપાવી.
પીએમ મોદીની સલાહ પર કોંગ્રેસે મોટો પલટવાર કર્યો છે
કોંગ્રેસે પોતાની સરકારમાં યુદ્ધોમાં પાકિસ્તાનને શીખવાડેલા પાઠની યાદ અપાવી
કોંગ્રેસે લખ્યું, પાકિસ્તાનને જવાબ જ આપવાનો છે તો બિરયાની અને કેરીનો ખેલ બંધ કરો
કોંગ્રેસે કહ્યું કે વર્તમાન આંદોલન ભારતીય સંસદની વિરુદ્ધ નહીં, મોદી સરકારની ભાગલાવાદી નીતિઓની વિરુદ્ધ છે.
પાકિસ્તાનને જવાબ આપવો છે તો બંધ કરે બિરયાની, કેરીનો ખેલ
કર્ણાટકના તુમકુરુની રેલીમાં પીએમ મોદીના આપવામાં આવેલા બીજેપી (BJP) ના ટ્વિટને રિટ્વીટ કરતા કોંગ્રેસે (Congress) લખ્યું, 'મોદીજી, આ આંદોલન સંસદ નહીં, આપના વિભાજનકારી કારનામાઓની વિરુદ્ધ થઇ રહ્યું છે. અમે આપને દેશ તોડવા નહીં દઇએ. જો વાત કરવામાં આવે પાકિસ્તાનની, તો આ ભારતે જ 1948, 65, 71, કારગિલમાં તેને જે ઘાવ આપ્યા છે, તે હજુ સુધી તેમાંથી બહાર નથી આવી શક્યું. પાકિસ્તાનને જવાબ જ આપવાનો છે તો બિરયાની અને કેરીનો ખેલ બંધ કરો.
मोदीजी ये आंदोलन संसद नहीं, आपके विभाजनकारी कारनामों के खिलाफ हो रहा है। हम आपको देश नहीं तोड़ने देंगे। रही बात पाकिस्तान की, तो इसी हिंदुस्तान ने 1948, 65, 71, कारगिल में जो घाव उसे दिए हैं, वो अब तक नहीं उबर पाया। पाकिस्तान को जवाब ही देना है तो बिरयानी और आम का खेल बंद कीजिए। https://t.co/ZdaTDawNW8
'બિરયાની અને કેરીનો ખેલ' દ્વારા કોંગ્રેસનો ઇશારો પાકિસ્તાન (Pakistan) ના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ તરફ પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્વારા ભૂતકાળમાં ઉઠાવેલા પગલાઓની તરફ છે. 25 ડિસેમ્બર 2015ના દિવસે પીએમ નરેન્દ્ર મોદી તત્કાલિન પાકિસ્તાની પીએમ નવાઝ શરીફને તેમના જન્મદિવસ પર શુભકામનાઓ આપવા માટે અચાનક લાહૌર પહોંચી ગયા હતા. એ વર્ષે જુલાઇમાં નવાઝ શરીફે ઇદના અવસરે પીએમ મોદીને કેરી મોકલાવી હતી.
ગુરુવારે કર્ણાટકના તુમકુરુની એક રેલીમાં પીએમ મોદીએ સંશોધિત નાગરિકતા કાયદાના વિરોધને લઇને કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ પર હુમલો બોલ્યો હતો. પ્રધાનમંત્રીએ CAAનો વિરોધ કરી રહેલા લોકોને પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતિઓ પર થઇ રહેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાની સલાહ આપી હતી.