રાજ્યભરમાં કોરોનાના વધતા કેસ વચ્ચે જૂનાગઢમાં લોકડાયરાની મોજ માણવા પોરબંદરથી ભાજપના સાંસદ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા
જૂનાગઢમાં કોરોના મહામારી વચ્ચે લોકડાયરો યોજાયો
લોક ડાયરામા હજારોની સંખ્યામાં લોકો થયા એકઠા
પોરબંદર સાંસદ રમેશ ધડુક પણ ડાયરામાં રહ્યા હજર
જૂનાગઢમાં કોરોના મહામારી વચ્ચે લોકડાયરો યોજાયો હતો. આ લોકડાયરામા હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતાં. તેમજ પોરબંદરના સાંસદ રમેશ ધડુક પણ ડાયરામાં હાજર રહ્યાં હતાં. કેબિનેટ મંત્રીના પૂત્ર રાજ ચાવડા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. કેબિનેટ મંત્રીનો મત વિસ્તારમાં આ લોકડાયરો યોજાયો હતો. ભાલેચડા ગામે 30 માર્ચે લોક ડાયરો યોજાયો હતો. ગીતા રબારી, અર્જુન આહીર, દેવરાજ ગઢવી આ સમયે હાજર રહ્યાં હતાં.
ડાયરામાં અનેક લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો જોવા મળ્યો હતો. સાથે સ્ટેજ ઉપર અને નીચે પણ અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. જ્યાં જૂનાગઢના વંથલીનું એક ગામ સ્વયંભૂ લોકડાઉનનો અમલ કરી રહ્યો છે. તો બીજી તરફ એ જ વિસ્તારમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ડાયરાના આયોજનની મંજૂરી આપવામાં આવી તે જ મોટા સવાલ ઉભા કરે છે.
જૂનાગઢ વંથલી તાલુકાના ગામોમાં કોરોનાના કેસ વધ્યા
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના 3 ગામોમાં કોરોનાના કેસનો બ્લાસ્ટ થયો છે. ટીકર, સાંતલપર અને ધંધુસરમાં રોજના 12થી 15 કેસ કોરોના પોઝિટિવ આવે છે. ત્યારે આ ત્રણેય ગામો એ સ્વયંભૂ લોકડાઉન રાખવાનો નિર્ણય લીધેલો છે. વહેલી સવારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મળી રહે તે માટે 2 કલાક પૂરતી દુકાનો ખુલી રાખવામાં આવે છે અને લોકો સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરે છે.
રાજ્ય સરકારે 8 મનપામાં વકરતી કોરોનાની સ્થિતિને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મનપા માટે IAS કક્ષાના 8 અધિકારીને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી જવાબદારી સોંપી છે. કોવિડની તબીબી કામગીરીના નિરીક્ષણ, દેખરેખ, સંગલન અને આનુષાંગિક કામગીરી માટે જવાબદારી સોંપાઈ છે. મૂળ કામગીરી ઉપરાંત . વિવિધ જિલ્લાઓમાં કોવિડ કેર સેન્ટરમાં તબીબી કામગીરીનું સુપરવિઝનની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.