આફ્રિકાના પશ્ચિમી તટ પાસે સમુદ્રી લૂંટારાઓ એક વાણિજય જહાજ પર સવાર 20 ભારતીયોનું અપહરણ કર્યું છે. આ અંગેની અધિકારીઓએ જાણકારી આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયના રવીશ કુમારે કહ્યું છે કે અમમે 15 ડિસેમ્બરના રોજ આફ્રિકાના પશ્ચિમી તટ પાસેના સમુદ્રમાંથી જહાજ એમટી ડ્યૂક ચાલક દળના 20 સભ્યો (જેવી કે શિપિંગ એજન્સી આપેલ સુચના મુજબ) ના અપહરણથી ચિંતિત છીએ.
આફ્રિકાજના પશ્ચિમી તટ પાસેથી 20 ભારતીયોના અપહરણ
વિદેશ મંત્રાલયે કહ્યું અપહરણથી અમે ચિંતિત
અગાઉ નાઇજીરિયા પાસેથી 18 ભારતીયોના થયા હતા અપહરણ
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે આ વર્ષે આવી ત્રીજી ઘટના સામે આવી છે. રવીશ કુમારે કહ્યું કે આબૂજા સ્થિત આપણા મિશને આ મુદ્દાને લઇને નાઇજિરીયાના અધિકારીઓ અને પડોશી દેશના અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે.
આફ્રિકાના પશ્ચિમી તટ પાસે સમુદ્રી લૂટેરાઓ દ્વારા એક વાણિજિક જહાજ પર સવાર 20 ભારતીયોનું અપરહણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 3 ડિસેમ્બરના રોજ નાઇજિરીયાના તટીય વિસ્તારની પાસેથી સમુદ્રી ચાંચિયાઓએ હોંગકોંગના ધ્વજવાળા જહાજમાં સવાર 18 ભારતીયોનું અપહરણ કરી લીધું હતું. નાઇજીરિયા તટની પાસેથી પસાર થઇ રહેલા હોંગકોંગ ધ્વજવાળા વીએલીસીસી, એનએવીઇ કાન્સ્ટલેશન પર સમુદ્રી ચાંચિયાઓએ હુમલો કર્યો હતો.