ગુવાહાટી હાઈકોર્ટે રાષ્ટ્રીયતા સાથે જોડાયેલ એક કેસમાં મહત્વનું ટિપ્પણી કરી છે. હાઈકોર્ટની વિદેશી ટ્રિબ્યુનલ બેંચે કહ્યું કે, જો ટ્રિબ્યૂનલે એક વાર કોઈને ભારતીય જાહેર કર્યા તો, તે વ્યક્તિને ફરી વાર બિન ભારતીય જાહેર કરી શકાય નહીં.
ગુવાહાટી હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
નાગરિકતા સંબંધિત અત્યંત મહત્વનો આ કેસ
કોર્ટે કહી હતી આ વાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે જ પશ્ચિમ બંગાળમાં એક જાહેરસભાને સંબોધન કરતા કહ્યું હતું કે, એક વાર કોરોના ખતમ જાય તો અમે દેશભરમાં CAA લાગૂ કરી દઈશું. શાહની આ ટિપ્પણીની વચ્ચે ગુવાહાટી હાઈકોર્ટે રાષ્ટ્રીયતા સાથે જોડાયેલ એક કેસમાં મહત્વનું ટિપ્પણી કરી છે. હાઈકોર્ટની વિદેશી ટ્રિબ્યુનલ બેંચે કહ્યું કે, જો ટ્રિબ્યૂનલે એક વાર કોઈને ભારતીય જાહેર કર્યા તો, તે વ્યક્તિને ફરી વાર બિન ભારતીય જાહેર કરી શકાય નહીં.
આસામમાં નાગરિકતા એક બહું મોટો મુદ્દો
આપને જણાવી દઈએ કે, ગુવાહાટી હાઈકોર્ટની આ ટિપ્પણી એટલા માટે મહત્વની છે, કારણ કે, આસામ રાજ્યમાં નાગરિકતા એક બહું મોટો મુદ્દો છે. આસામમાં એવા કેટલાય કેસ આવી ચુક્યા છે. જ્યાં કોઈ ભારતીયને પોતાની નાગરિકતા સાબિત કરવા માટે એક વારથી પણ વધારે વખત નોટિસ મોકલવામાં આવી છે. રાષ્ટ્રીયતા સાથે જોડાયેલ એક કેસની સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, કોઈ વ્યક્તિની નાગરિકતાના સંબંધમાં ટ્રિબ્યૂનલનો મત 'રેસ જ્યૂડિકાટા' તરીકે કામ કરશે. જેનો અર્થ થાય છે કે, આ મુદ્દો પહેલા જ નક્કી થઈ ચુક્યો છે અને તેને ફરીથી કોર્ટમાં લાવવામાં ન આવે.
અમીના ખાતૂન કેસને ધ્યાનમાં રાખતા આપ્યો આ ચુકાદો
રાષ્ટ્રીયતા સાથે જોડાયેલી કેટલીય અરજી પર આ અઠવાડીયાની શરૂઆતમાં સુનાવણી કરતા જસ્ટિસ એન.કોટિસ્વર સિંહ અને જસ્ટિસ નાની તાગિયાની બેંચે કહ્યું કે, જો કોઈ વ્યક્તિને પહેલાની કાર્યવાહીમાં ભારતીય નાગરિક ઘોષિત કરવામાં આવ્યા છે, તો બાદમાં કોઈ પણ કાર્યવાહીમાં તેને વિદેશ જાહેર કરી શકાય નહીં, જેમ કે આવા કેસમાં ન્યાયિક નિર્ણય સિંદ્ધાંત લાગૂ થાય છે. કોર્ટે આ દરમિયાન આ નિર્ણય 2018ના અમીના ખાતૂન કેસને ધ્યાનમાં રાખતા લીધો છે. બેંચે કહ્યું કે, આ અબ્દુલ કુડ્ડસના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખતા સારો કાયદો નથી.