દેશભરમાં હાલમાં 14 એપ્રિલ સુધી લૉકડાઉનની સ્થિતિ જાહેર કરવામાં આવી છે ત્યારે અનેક લોકો પીએમ મોદીના આદેશને અનુસરી રહ્યા છે અને કોરોના વાયરસ સામે લડત આપવા પણ તૈયાર છે. પરંતુ દિલ્હીનું દરિયાગંજ શાકમાર્કેટ અને પંજાબનું લુધિયાણા માર્કેટ લોકોથી ઉભરાઈ રહ્યું છે. અહીં લોકોની અવર જવર અટકતી જ નથી. લૉકડાઉનના નિયમનું અહીં પાલન જ થતું નથી. આ રીતે તો દેશમાંથી કોરોનાને કઈ રીતે જાકારો આપી શકાશે?
વધી રહ્યો છે કોરોનાનો ખતરો
અહીં નથી થઇ રહ્યું લોકડાઉનનું પાલન
જોવા મળી રહ્યો છે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ
#WATCH Vegetable wholesale market in Ludhiana witnesses heavy crowd, amid lockdown to prevent the spread of #Coronavirus. The total number of positive cases in Punjab stand at 38. pic.twitter.com/mY7ygDCrXO
ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. જો કે હજુ પણ લોકોમાં ગંભીરતા નથી દેખાઇ રહી. દિલ્લીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો. દિલ્લીના દરિયાગંજ શાકમાર્કેટ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરી રહ્યાં. તો બીજી બાજુ પંજાબમાં પણ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરી રહ્યાં. લુધિયાણામાં શાકમાર્કેટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. કોરોનાના કેસ વધી રહ્યા હોવા છતા પણ લોકોની ભીડ હજુ પણ યથાવત છે. ત્યારે આ તસ્વીર ચિંતાજનક છે.
પંજાબમાં પણ નથી થતું લૉકડાઉનું પાલન
પંજાબમાં પણ લોકડાઉનનું પાલન નથી થઇ રહ્યું. લુધિયાણામાં શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો. લુધિયાણા શાકમાર્કેટમાં મોટી સંખ્યામાં લોકો શાકભાજી લેવા એકઠા થયા છે જો કે કોઇએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યું નથી. વેપારીઓનું કહેવું છે કે શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું થોડું મુશ્કેલ હોય છે. જો કે આના માટે કોઇ એક્શન પ્લાન કરવો જરૂરી છે. કારણ કે જો આ રીતે લોકોની ભીડ એકઠી થતી રહી તો કોરોના વાયરસને માત આપવી મુશ્કેલ છે. પંજાબમાં અત્યારસુધી કોરોનાના 38 કેસ નોંધાઇ ચૂક્યા છે. જો કે હજુ પણ લોકોમાં ગંભીરતા નથી જોવા મળી રહી.
પણજીમાં શાકભાજીની અછત
કર્ણાટક બોર્ડર પરથી માલ ન આવતા પણજીમાં શાકભાજીની અછત જોવા મળી રહી છે. લોકોને જરૂરિયાત પૂરતો સામાન નથી મળી રહ્યો જેને લઇ પણજીમાં લોકોને મુશ્કેલી પડી રહી છે. વેપારીઓનું કહેવું છે કે કર્ણાટક બોર્ડર પર માલ અટવાઇ ગયો છે. શાકભાજીનો જરૂરિયાત પ્રમાણ જથ્થો નથી મળી રહ્યો. તો ગુરુગ્રામમાં શાકમાર્કેટમાં પણ વેપારને અસર પડી છે. કોરોનાના કારણે હોટલ, કેન્ટિન સહિત બંધ થઇ જતા શાકભાજી નથી વેચાઇ રહી. જેને લઇ ખેડૂતોને મોટું નુકસાન થયું છે.