મુંબઇમાં હોસ્ટેલના રૂમમાં મૃત્યું પામેલ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સ્ટૂ઼ડેન્ડ ડૉક્ટર પાયલ તડવીની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમની ગરદન પર નિશાન મળ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 'મોતના અંતિમ કારણ' હેઠળ તેની ગરદન પર નિશાન બતાવાયા છે. તડવીના પરિવાર તરફથી રજૂ થયેલા વકીલ નીતિન સતપુતેએ આરોપ લગાવ્યો કે ઇજાના નિશાનથી જાણવા મળે છે, કે તડવીની હત્યા કરવામાં આવી, તેથી આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 302 હેઠળ મામલો નોંધવામાં આવે છે.
આરોપીઓના વકીલ આબાદ પોન્ડાએ દલીલ રજૂ કરી છે કે ત્રણેય ડૉક્ટરોને તડવીની જાતિ વિશે જાણકારી નહોતી. એમણે કહ્યું કે, 'આત્મહત્યા માટે ત્યારે ઉશ્કેરવામાં આવે છે જ્યારે કોઇ જાણી જોઇને વ્યક્તિને નુકશાન પહોંચાડવા માંગતું હોય. પરંતુ આરોપીઓએ (આ મામલે) માત્ર એમના કામ માટે તેમને ઠપકો આપ્યો હતો અને તેમને નુકશાન પહોંચાડવાનો કોઇ ઇરાદો નહોતો.'
તડવીના પરિવાર તરફથી વકીલ નિતિન સતપૂતે કોર્ટમાં આરોપ લગાવ્યો કે, 'આરોપી પાયલના મૃતદેહને બીજી જગ્યાએ લઇ ગયા હતા, બાદમાં તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, એવામાં પુરાવા સાથે છેડછાડની પણ આશંકા છે'.
આરોપીઓના એક વકીલે દલીલ રજૂ કરતા કહ્યું, જો મૃત્યું પામનાર વ્યક્તિ (પાયલ તડવી)ને કોઇ અન્ય રસ્તો નહોતો મળી રહ્યો તો એમણે નોકરી છોડી દેવી જોઇતી હતી. અથવા ટોચના અધકારીઓને ફરિયાદ નોંધાવી જોઇતી હતી. જે એમણે નહોતી કરી. વ્હોટ્સઅપ ચેટના હવાલા આપતા પોન્ડાએ કહ્યું કે તડવીએ પોતાની માતાને બતાવ્યું હતું કે હોસ્પિટલમાં કોઇ નથી જાણતું કે તેની જાતિ કઇ છે? એમણે કહ્યું કે, પોલીસ માત્ર પીડિતાની માતાની ફરિયાદ પર વિશ્વાસ કરી રહી છે. જેમણે આ ઘટનાના સંબંધમાં ત્રણેય આરોપીઓની કોઇ ખાસ ભૂમિકા વિશે બતાવ્યું નહીં.
આરોપીઓના અન્ય એક વકીલ સંજીવ બહલે કોર્ટમાં જણાવ્યું કે, મૃતકના લગ્ન એક ડૉક્ટર સાથે થયા હતા પરંતુ તેની સાથે રહેવાની જગ્યાએ એમણે હૉસ્ટેલ પર રહી રહી હતી, બની શકે કે કોઇ પારિવારીક મામલાને લઇને એમણે આ પગલુ ઉઠાવ્યું હોય. બચાવ પક્ષના વકીલોએ કહ્યું કે, જે રૂમમાં તડવી કથિત રીતે લટકી હતી એ અંદરથી બંધ હતો તેથી કોઇ અન્યના અંદર હોવાની સંભાવના બનતી નથી. એમણે કહ્યું કે આરોપીઓ પાસે તડવીના રૂમ સુધી પહોંચવાના કોઇ રસ્તો નથી. પોલીસે દરવાજો ખોલ્યો અને મૃતદેહનો કબજો મેળવ્યો હતો.
આપને જણાવીએ કે બુધવારે તમામ ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. જેમાં એમણે 31 મે સુધી પોલીસ રિમાન્ડમાં મોકલ્યા છે. કોર્ટે પોલીસની દલીલનો સ્વીકાર કર્યો છે જેમાં ભક્તિ મેહેર, હેમા આહૂજા અને અંકિતા ખંડેલવાલની ધરપકડમાં લેવા જરૂરી છે. જેથી પોલીસ એ જાણી શકે કે મૃતકે કોઇ સૂસાઇડ નોટ છોડી હતી અને જો ખરેખર સ્યૂસાઇડ નોટ છોડી હતી તો શું આરોપીઓ દ્વારા તેને ગુમ કરી દેવાઇ છે અથવા તેનો નાશ તો નથી કરી દેવાયો.
પોલીએ કોર્ટને કહ્યું છે કે આરોપીઓના મોબાઇલ ફોન જપ્ત કરી લેવાયા છે. પરંતુ પીડિતા સાથે તેમના વ્હોટ્સએપ ચેટની માહિતી મેળવવામાં વધુ સમય લાગી શકે છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ભક્તિ મેહેરની મંગળવારે ધરપકડ કરવામાં આવી, જ્યારે હેમા આહૂજા અને અંકિતા ખંડેલવાલની બુધવારે સવારે ઝડપી પાડવામાં આવ્યા.
મહારાષ્ટ્રના નાયર હોસ્પિટલમાં 23 વર્ષની ડૉક્ટર પાયલ તડવીની આત્મહત્યાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. આ પહેલા દેશના કેટલાય નેતાઓ અને ફિલ્મી હસ્તીઓએ આ મામલે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. દલિત નેતા અને ગુજરાતના વડગામથી વિધાયક જિગ્નેશ મેવાણી અને સીપીઆઇ નેતા કન્હૈયા કુમારે ટ્વિટ કરી આ મામલે કડક નિંદા કરી છે.
મુંબઇના ઘેરાવની ચીમકી
પાયલ તડવી આત્મહત્યા કેસમાં ભીમ આર્મી પણ નાયર હોસ્પિટલ બહાર પ્રોટેસ્ટ કરી રહી છે. ભીમ આર્મી મુંબઇના નેતા અશોક કાંબલેને કહ્યું કે ભીમ આર્મીના ચંદ્ર શેખર આઝાદ સામેલ નહીં થઇ શક્યા. પ્રદર્શનકારીઓએ કહ્યું છે કે જો 20 જૂન સુધીમાં કેસની તપાસ પૂર્ણ નહી થાય તો મુંબઇનો ઘેરાવ કરવામં આવશે.
મહિલા આયોગની નોટિસ
રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ મામલાની ગંભિરતા જોતા હોસ્પિટલને નોટિસ મોકલી છે. જ્યારે મુંબઇ કોંગ્રેસના પ્રમુખ મુરલી દેવડાએ જોઇન્ટ પોલીસ કમિશ્નનર વિનય ચૌબે સાથે મુલાકાત કરી છે.
આપને જણાવી કે ડૉક્ટર પાયલનું એડમિશન અનામત કોટાથી થયું હતું. એ વાત પર પાયલના સીનિયર તેને હેરાન કરતા હતા. વિદ્યાર્થીનીના પરિવારે આ મામલે હૉસ્ટેલ વોર્ડનને તેની ફરિયાદ કરી હતી.