ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે ફરી એક વખત સર્જિકલ સ્ટ્રાઈકને લઈને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. ભાજપના કાર્યકરોની બેઠકમાં ભાગ લીધા બાદ તેમને આ નિવેદન કર્યું હતું. પર્રિકરે કહ્યું કે હું સર્જિકલ સ્ટ્રાઇક પર કોઈ રાજકારણ કરવા માગતો નથી.
આ મામલે નકારાત્મક વિચાર ધરાવતા વિપક્ષને સ્ટ્રાઈક સમયે સાથે લઈ જવા જોઈતા હતા. સેનાને કહેવા જેવું હતુ કે તેઓ રાહુલ ગાંધીને આ સ્ટ્રાઈકમાં સાથે લઈને જાય. 2016માં ભારતીય સેનાએ સ્ટ્રાઈક કરી હતી ત્યારે મનોહર પર્રિકરે રક્ષા મંત્રી હતા.
ઉલ્લેખનીય છે કે પર્રિકરે વધારેમાં કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક કરતા પહેલા સૌથી મહત્વની વાત એ છે કે તે તમામ વાત ગુપ્ત રહે. પ્રધાનમંત્રી આર્મી ચીફ અને ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વિશે માહિતગાર હતા. વિપક્ષના આવા નિવેદનના કારણે સેનાની ક્ષમતા પર સવાલ ઉભા થયા છે અને તે દેશ માટે હાનિકારક હોવાનું માની રહ્યા છે.