ગુજરાતમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યભરમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જો કે બીજી તરફ રાજ્યભરમાં હાલ વિકાસના કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પાલનપુર ખાતે રેલવે કોરિડોરની કામગીરી હાથ ધરવામાં આવતાં ST બસના રૂટ બંધ કરવામાં આવ્યાં છે.
પાલનપુરમાં રેલવે કોરિડોરની કામગીરી હાથ ધરાઇ
કોરિડોર કામગીરીને લઇ ST બસના રૂટ કરાયા બંધ
કામગીરી અગાઉ 5 દિવસ સુધી ડેમો કરાશે
બનાસકાંઠાના પાલનપુરમાં રેલવે કોરિડોરની કામગીરી હાથ ધરવામાં આવી છે. રેલવે કોરિડોરની કામગીરીને લઇ શહેરમાં પ્રવેશતી ST બસના કેટલાંક રૂટ બંધ કરવામાં આવ્યા છે. શહેરમાં આવતી-જતી ST બસોના રૂટ બંધ કરવામાં આવ્યા છે.
પાલનપુરમાં રેલવે કોરિડોરની કામગીરી અગાઉ 5 દિવસ સુધી ડેમો કરાશે. આજથી16થી 20 ઓગસ્ટ સુધી બસ માટે વ્યવસ્થા કરાશે. અમદાવાદ, ડીસાના મુસાફરોને અન્ય જગ્યાએ બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. શહેરનીજિલ્લા પંચાયત આગળ ST બસ માટે સ્ટેન્ડ અપાશે. આમ ડેમો બાદ પરિસ્થિતિને ધ્યાને લઇ આગળનું આયોજન હાથ ધરાશે.