'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલમાં મેકર્સને નવી સોનું માટેની શોધ પૂરી થઇ છે.
રિપોર્ટ અનુસાર, શોના મેકર્સના રોલ માટે ઘણા આર્ટિસ્ટ સાથે વાતચીત કરતા હતા. અંતે તેમણે પલક સિદ્ઘવાની અને જીનલ જૈનને શોર્ટ લિસ્ટ કર્યા હતા. જોકે છેવટે બંનેમાંથી સોનુ આત્મરામ ભિડેનું કેરેક્ટર પલક સિદ્ઘાવાની કરશે.
પલક આમ તો ટેલિવિઝન દુનિયામાં નવી છે પરંતુ તેણે ઘણી એડ ફિલ્મોમાં કામ કર્યુ છે. આ સિવાય તે ટિસ્કા ચોપરા અને રોનિત રોયની વેબસિરિઝ હોસ્ટેજમાં પણ જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પલકે શૂટિંગ શરૂ કરી દીધુ છે અને આવતા અઠવાડિયે તેની એન્ટ્રી થશે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં સોનુનું કેરેક્ટર નિધિ ભાનુશાલી કરતી હતી પરંતુ એક્ટ્રેસ કામ તથા અભ્યાસ વચ્ચે બેલેન્સ ના રાખી શકવાને કારણે તેણે શો છોડવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે નિધિ ભાનુશાલી હાલમાં મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી BA કરે છે અને તે બ્રાઈટ સ્ટૂડન્ટ છે. હવે તે પોતાના અભ્યાસ પર ધ્યાન આપવા માંગે છે. તે સારા માર્ક્સથી ગ્રેજ્યુએશન પૂરું કરવા માંગે છે. જોકે, પ્રોડક્શન હાઉસે નિધિને શૂટિંગના કલાકો ઓછા કરી આપ્યા હતાં જેથી તે ભણવા પર ધ્યાન આપી શકે. જોકે, નિધિએ શો છોડી દીધો.
નિધિ પહેલા ઝીલ મહેતાએ નવ વર્ષની ઉંમરે 'તારક મહેતા..'માં કામ કરવાની શરૂઆત કરી હતી. ઝીલે લગભગ સાડા ચાર વર્ષ સુધી આ શોમાં કામ કર્યું હતું. ત્યારબાદ અભ્યાસને કારણે તેણે આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દિશા વાકાણી આ શોમાં દયાભાભીનું પાત્ર ભજવે છે. જોકે, 2017માં દિશા વાકાણીએ મેટરનિટિ લીવ લીધી હતી પરંતુ તે હજી સુધી શોમાં પરત આવી નથી. ચર્ચા છે કે મેકર્સ હવે નવા દયાભાભી લાવશે.