પાકિસ્તાની સેનાનું હેલીકોપ્ટર ઉત્તર પશ્ચિમી પ્રાંત બલૂચિસ્તાનમાં સોમવારે રાતના ગુમ થયું હતું. જેનો કાટમાળ લાસબેલા જિલ્લાના મૂસા ગોથ પાસેથી મળી આવ્યો છે.
પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના થઈ
સોમવાર ગુમ થયેલું હેલીકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો
આ દુર્ઘટનામાં 6 અધિકારીઓના થયા મોત
પાકિસ્તાની સેનાનું હેલીકોપ્ટર ઉત્તર પશ્ચિમી પ્રાંત બલૂચિસ્તાનમાં સોમવારે રાતના ગુમ થયું હતું. જેનો કાટમાળ લાસબેલા જિલ્લાના મૂસા ગોથ પાસેથી મળી આવ્યો છે. જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં 6 સૈનિકોના મોત થઈ ગયા છે. જેની લાશ કાટમાળમાંથી મળી આવી છે. ઈંટર સર્વિસિઝ પબ્લિક રિલેશંસ અનુસાર ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ છે. તો વળી પાકિસ્તાન સેનાના મીડિયા વિંગે જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં લેફ્ટિનેંટ જનરલ સરફરાઝ અલી સહિત 6 સૈન્ય કર્મચારીના મોત થયા છે.
The wreckage of unfortunate hel which was on flood relief ops found in Musa Goth, Windar, Lasbela. All 6 offrs & sldrs incl Lt Gen Sarfraz Ali embraced shahadat. اِنّا لِلَّٰهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ
Accident occurred due to bad weather as per initial investigations . DTF pic.twitter.com/dnyano2vqC
ISPRના ડિજીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, લાસબેલા જિલ્લાના મૂસા ગોથમાં એક હેલીકોપ્ટરનો કાટમાળ મળ્યો. તેમાં લેફ્ટિનેંટ જનરલ સરફરાઝ અલી સહિત તમામ 6 અધિકારીઓના અને સૈનિકોના મોત થયા છે. તેમણે જણાવ્યું છે કે, શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે, હવામાન ખરાબ હોવાના કારણે આ દુર્ઘટના થઈ હતી.
તો વળી પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે કહ્યું કે, પાકિસ્તાની સેનાના જવાનોના મોતથી દેશ દુ:ખી છે, તેમણે કહ્યું કે, દેશને લેફ્ટિનેંટ જનરલ સરફરાઝ અલી અને પાકિસ્તાની સેનાના અન્ય 5 અધિકારીઓની શહીદી પર ઊંડો આઘાત લાગ્યો છે. તેઓ પુરગ્રસ્ત વિસ્તારમાં રાહત સામગ્રીનું ઉમદા કાર્ય કરી રહ્યા હતા.