પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન મંગળવારે કહ્યું કે ભારતની રાજધાની દિલ્હી રેપ કેપિટલ બની ગયું છે અને તેના માટે બોલિવૂડની ફિલ્મોને તેમણે જવાબદાર ઠેરવી, તેમણે કહ્યું કે પાકિસ્તાનને બોલિવૂડની ખરાબ અસરથી બચાવવા માટે પોતાના દેશમાં ઇસ્લામિક સીરીઝ દેખાડવામાં આવી રહી છે.
પાકિસ્તાનના કરાંચીમાં ગેંગરેપ બાદ આખા દેશમાં દેખાવો
ઇમરાન ખાને બોલિવૂડ પર લગાવ્યા ગંભીર આરોપ
બોલિવૂડથી અશ્લિલતા ફેલાતી હોવાનો ઇમરાન ખાનનો આરોપ
કરાંચીમાં થયેલ ગેંગરેપ બાદ પાકિસ્તાનમાં રોષ
નોંધનીય છે કે પાકિસ્તાનના કરાચી શહેરમાં ગેંગરૂપ થયો જે બાદ આખે આખું પાકિસ્તાન હચમચી ગયું. લોકો રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે અને એવામાં ઇમરાન ખાને કહ્યું કે દુનિયાનો ઈતિહાસ છે કે જ્યારે સમાજમાં અશ્લિલતા વધે છે ત્યારે બે વસ્તુઓ થાય છે એક તો સેક્સ અપરાધ વધે છે અને બીજા પારિવારિક વ્યવસ્થા તૂટવા લાગે છે. ઇમરાન ખાને કહ્યું કે આવા અપરાધોને રોકવાની જવાબદારી માત્ર એજન્સી જ નહીં સમાજની પણ છે.
પાકિસ્તાને ભારત પર ફોડ્યું ઠીકરું
ઇમરાન ખાને આ અપરાધમાં પણ ભારતનું નામ લીધું અને કહ્યું કે બોલિવૂડની ફિલ્મોમાં જે અશ્લિલતા પીરસવામાં આવી રહી છે તેના કારણે દિલ્હીમાં સેક્સના ક્રાઈમ વધી રહ્યા છે. બોલિવૂડમાં ચાલીસ વર્ષ પહેલા જે ફિલ્મો બનતી હતી તેવી હવે નથી બનતી અને તેની ખરાબ અસર ભારતના સમાજ પર પડી રહી છે, દિલ્હી દુનિયાનું રેપ કેપિટલ બની ગયું છે.
બોલિવૂડ અશ્લિલતા ફેલાતી હોવાનો આરોપ
ઇમરાન આટલામાં જ ન અટક્યા તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં બોલિવૂડનો પ્રભાવ ઓછો કરવા માટે તેમણે ટર્કિશ સિરિયલનું પ્રસારણ શરુ કરાવ્યુ. તેમણે કહ્યું કે ભારતમાં તબાહી જોઈ છે અને અમે તે તબાહી અમારા દેશમાં નથી ઈચ્છતા. જ્યારે મેં પાકિસ્તાનમાં ટર્કિશ સિરિયલનું પ્રસારણ શરુ કરાવ્યુ તો લોકોએ કહ્યું કે અહિયાં લોકો બોલિવૂડ જ જોવે છે પણ મારું માનવું છે કે લોકોને એવી વસ્તુઓ બતાવીએ જેનાથી તેમનામાં ઈસ્લામિક મૂલ્યો પણ હોય, ઈતિહાસ પણ હોય અને બધા ફેમિલીમાં એક સાથે જોઈ શકે. જ્યારે પણ સમાજમાં અશ્લિલતા વધે છે ત્યારે ગુનાઓ વધે છે.
નોંધનીય છે ઇમરાન ખાને તેમ પણ કહ્યું હતું કે આવા અપરાધોને ઘટાડવા માટે આરોપીઓને ચાર રસ્તા પર માંચડે લટકાવી દેવા અથવા નપુંસક બનાવી દેવા જેવી સજાઓ પણ આપવી જોઈએ.