પાકિસ્તાનથી એક મૉબ લિંચિંગની હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. દેશના સિયાલકોટમાં ટોળાએ એક શ્રીલંકન નાગરિકની પહેલા માર માર્યો અને ત્યારબાદ જીવતો સળગાવી દીધો.
શ્રીલંકાના નાગરિકની માર મારીને હત્યા
મૃતદેહોને કર્યા આગના હવાલે
ધાર્મિક લાગણી દુભાયાનો આરોપ
ધ ડૉનના રિપોર્ટના અનુસાર આ ઘટના સિયાલકોટના વજીરાબાદ માર્ગમાં થઈ. જણાવાઇ રહ્યું છે કે આ પ્રાઇવેટ ફેક્ટ્રિઓના શ્રમિકોને કથિત રીતે એક ફેક્ટ્રીના મેનેજર પર હુમલો કરી દીધો. ટોળાએ મેનેજરને એટલો માર્યો કે તેનું મોત થઇ ગયું. બાદમાં તેને સળગાવી દેવાયો. સળગાવી દેવાયા બાદ ટોળાના કેટલાક લોકોએ ઘટના સાથે સેલ્ફી પણ લીધી હતી.
આ કેસની તપાસ પોલીસ કરી રહી છે. ઘટનાનો શિકાર કરતા વ્યક્તિનું નામ પ્રિયાંથા કુમારા બતાવવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ફેક્ટ્રી મેનેજર પર શ્રમિકોએ ધાર્મિક લાગણી દુભાયાનો આરોપ લગાવ્યો હતો. પ્રિયાંથા કુમારાએ હાલમાં જ કેટલાક દિવસ પહેલા ફેક્ટ્રીમાં એક્સપોર્ટ મેનેજરના પદ પર નોકરી જોઈન કરી હતી. પ્રિયાંથા જે ફેક્ટ્રીમાં કામ કરતી હતી તેમાં પાકિસ્તાનની ટી-20નો સામાન બનાવવામાં આવ્યા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તાર પોલીસે સીલ કરી દીધો હતો.
ઇમરાન ખાને કર્યું ટ્વિટ
આ અંગે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ટ્વિટ કરી કહ્યું કે, સિયાલકોટમાં ફેક્ટરીમાં ભયાનક હુમલો કરાયો અને શ્રીલંકાના મેનેજરને જીવતા સળગાવવાની ઘટનાથી પાકિસ્તાન માટે શરમજનક દિવસ છે. હું તપાસ પર દેખરેખ રાખું છું અને કોઈ ભૂલ જવા દેવામાં નહીં આવે. તમામ જવાબદાર છે તેઓને સજા કરવામાં આવશે. ધરપકડની કાર્યવાહી ચાલી રહી છે.
The horrific vigilante attack on factory in Sialkot & the burning alive of Sri Lankan manager is a day of shame for Pakistan. I am overseeing the investigations & let there be no mistake all those responsible will be punished with full severity of the law. Arrests are in progress