ભારત એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં જાય તેવી બીસીસીઆઈ સેક્રેટરી જય શાહના એલાન બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતને ધમકી આપી છે.
જય શાહના એલાન બાદ પાકિસ્તાનને આપી ધમકી
એશિયન ક્રિકેટ કાઉન્સિલમાંથી હટવાનું જણાવ્યું
પાકિસ્તાને વનડે વર્લ્ડ કપના બહિષ્કારની પણ આપી ધમકી
ભારત એશિયા કપ રમવા પાક.નહીં જાય- જય શાહ
ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે ફરી વાર વિવાદ પેદા થયો છે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહના એલાન બાદ 2023ના એશિયા કપની મેજબાની છીનવાતા પાકિસ્તાન ખળભળી ઉઠ્યું છે અને તેના બોર્ડે ભારતની સીધી ધમકી આપતા એશિયન ક્રિકેટ કાઉન્સિલમાંથી હટવાનું જણાવ્યું છે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ એવું પણ કહ્યું કે જો ભારત 2023નો એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાન પણ આવતા વર્ષે થનારા વનડે વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં જાય.
When all international teams and international cricketers come to Pakistan for @OfficialPSL, what is @BCCI's problem. If BCCI is willing to go to a neutral venue, then @TheRealPCB should also be willing to go to a neutral venue for the WC in India next year.#PAKvIND#Cricket
પૂર્વ ક્રિકેટર સઈદ અનવર ભડક્યા
પાકિસ્તાનના પૂર્વ ઓપનર સઈદ અનવરે એશિયા કપ 2023 પર જય શાહના નિવેદન પર બીસીસીઆઈની ઝાટકણી કાઢી છે. અનવરે કહ્યું છે કે, જો બીસીસીઆઇ આવતા વર્ષે યોજાનારા એશિયા કપ 2023ને તટસ્થ સ્થળે શિફ્ટ કરે છે, તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ પણ ભારતમાં 2023માં યોજાનારા વન-ડે વર્લ્ડ કપ અંગે આઇસીસી સાથે વાત કરવી જોઈએ અને ટુર્નામેન્ટને ભારતની બહાર અન્ય સ્થળે ખસેડવી જોઈએ. 1997માં ચેન્નઈમાં ભારત વિરુદ્ધ 194 રન બનાવનાર પાકિસ્તાનના પૂર્વ ઓપનરે ટ્વીટ કર્યું હતું કે, "જ્યારે તમામ આંતરરાષ્ટ્રીય ટીમો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં રમવા માટે પાકિસ્તાન આવે છે, તો પછી બીસીસીઆઈને શું પેટમાં દુખે છે કે તે એશિયા કપ 2023ને તટસ્થ સ્થળે ખસેડવા માટે તૈયાર થઈ છે. જો ભારત આવું કરે તો પીસીબીએ આવતા વર્ષે ભારતમાં યોજાનારા વનડે વર્લ્ડ કપને પણ તટસ્થ સ્થળે લઈ જવો જોઈએ.
બે મોટા કામ કરશે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ
જો ભારત એશિયા કપ રમવા ન આવે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આગામી વર્ષે થનારા વનડે વર્લ્ડ રમવા ભારત આવવાનો ઈન્કાર કરશે. સાથે એશિયન ક્રિકેટ કાઉન્સિલમાંથી હટી જવાની પણ વાત કરી છે.
શું જાહેરાત કરી હતી જય શાહે
પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ અને સઈદ અનવરની પ્રતિક્રિયા બીસીસીઆઈ સેક્રેટરી જય શાહના એલાનને પગલે આવી હતી. બીસીસીઆઈની વાર્ષિક બેઠક બાદ જય શાહે એવું કહ્યું હતું કે ભારત 2023 એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં જાય. ભારતના ઈન્કાર બાદ પાકિસ્તાન પાસેથી એશિયા કપની મેજબાની પણ છીનવાઈ ગઈ છે.
2023માં ભારતમાં વનડે વર્લ્ડ કપ, પાક.માં એશિયા કપ
2023માં ભારતમાં વનડે વર્લ્ડ કપ અને પાકિસ્તાનમાં એશિયા કપ યોજાવાનો છે અને હવે બન્ને દેશના ક્રિકેટ બોર્ડે એકબીજાના દેશમાં ક્રિકેટ રમવા ન જવાનું જણાવતા કોકડું ગૂંચવાયું છે.