પાકિસ્તાન પરની સર્જિકલ સ્ટ્રાઈક પર અમિત શાહનુ મોટું નિવેદન
પાકિસ્તાન ભૂલી ગયો હતો આ મનમોહનની નહીં મોદી સરકાર છે
મોદી સરકારે સર્જિકલ સ્ટ્રાઈક કરીને બદલો લીધો
શારદા યુનિવર્સિટીના પ્રભાવી મતદાતા સંમેલનમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પુલવામા, ઉરી હુમલા પછી પાકિસ્તાન ભૂલી ગયો હતો કે આ મનમોહનની નહીં મોદી સરકાર છે. આ સરકારે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને બદલો લીધો છે. તેમણે કહ્યું કે પહેલા કોંગ્રેસની સરકાર હતી અને તેમને સપા-બસપાનો ટેકો હતો. તે વખતે પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓ જવાનોના માથા કાપીને લઈ જતો હતો તેમ છતાં પણ દિલ્હીના નેતાઓનું પેટનું પાણી પણ હાલતુ નહોતું.
પીએમ મોદીએ ધારા 370 હટાવવાનું તથા 35એને ઉખાડી ફેંકવાનું કામ કર્યું
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પીએમ મોદીએ ધારા 370 હટાવવાનું તથા 35એને ઉખાડી ફેંકવાનું કામ કર્યું છે. સપા-બસપા અને કોંગ્રેસે કલમ 370 નાબૂદીનો વિરોધ કર્યો હતો તેમ છતાં પણ મોદી સરકારે આ કામ પાર કરી દેખાડ્યું. કાશ્મીરમાં પથ્થર તો દૂર કોઈના કાંકરીચાળો કરવાની પણ હવે હિંમત રહી નથી. તેમણે કહ્યું કે હિંદુસ્તાન ધર્મશાળા નથી.
દશ દિવસમાં કરી સર્જિકલ સ્ટ્રાઈક
અમિત શાહે કહ્યું કે પાકિસ્તાન ભૂલી ગયો હતો કે આ મનમોહનની નહીં મોદીની સરકાર છે. પાકિસ્તાને પુલવામા અને ઉરીમાં હુમલા કર્યાં તો મોદી સરકારે દશ દિવસની અંદર સર્જિકલ સ્ટ્રાઈક કરી. વાયદાઓ કેવી રીતે પાર પાડવા તે તમામ રાજકીય પક્ષો ભાજપ પાસેથી શીખે.
ખેડૂતોના મુદ્દાનો ઉકેલ આવી રહ્યો છે
અમિત શાહે કહ્યું કે 2019માં યુપીની જનતાએ ઘણો પ્યાર આપ્યો. 2022માં ફરી વાર કહેવા આવ્યો છું. યુપી બદલી રહ્યું છે અને યુવાનો આગળ વધી રહ્યાં છે. તેમણે કહ્યું કે ખેડૂતોના મુદ્દાઓનો ધીરે ધીરે ઉકેલ આવી રહ્યો છે.