જમ્મુ-કાશ્મીર માટે બંધારણીય કલમ 370 ની કેટલીક જોગવાઈઓને રદ કર્યા પછી હવે પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાને ભારત સરકાર સાથે યુદ્ધની ધમકી આપી છે. પાકિસ્તાને કહ્યું છે કે ભારત પાકિસ્તાનને પેલેસ્ટાઇન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઇમરાન ખાન સરકારના પ્રધાન ફવાદ ચૌધરીએ કહ્યું કે સંસદમાં નકામા વિષયો પર ચર્ચા કરવાને બદલે અમારે ભારતને જવાબ લોહી, આંસુ અને પરસેવાથી આપવો પડશે. અમારે યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે.
જમ્મુ-કાશ્મીર વિશેષ રાજ્યના દરજ્જો આપવામાં આવતા અનુચ્છેદન 370 ને બદલવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં પસાર કરી દીધો છે. તેને લઇને પાકિસ્તાનની સરકાર અને રાજકીય પાર્ટી ગભરાઇ ગયા છે. પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓએ ત્યાના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને આડેહાથ લેતા ખરી ખોટી સંભળાવી છે.
Modi Govt is trying to make Kashmir another Palestine by changing the population demography and bringing settlers into Kashmir, Parliamentarians must stop fighting on trivial issues lets respond India by blood, tears, toil and sweat, we must be ready to fight if war is imposed
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની દીકરી મરિયમ નવાજે પણ ઇમરાનને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીરના મુદ્દે મધ્યસ્થતા કરવાની વાત કરી ઇમરાન ખાનને મુરખ બનાવ્યા છે અને આ અનુમાન લગાવી શકાય તેમ નથી કે શું યોજના બની રહી છે.
મોદી સરકારના જમ્મુ કાશ્મીર પર અનપેક્ષિત રૂપે અનુચ્છેદન 370 ને બદલવાને અને તેના વિશેષ રાજ્યના દરજ્જો પુરો કરી કેન્દ્ર શાસિત પ્રદેશના રૂપમાં માન્યતા આપવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ગૃહમંત્રી અમિત શાહના રાજ્યસભામાં ઐતિહાસિક એલાન બાદ પાકિસ્તાને બદલાયેલી સ્થિતિ પર ચર્ચા કરવા માટે બુધવારના રોજ સંસદનું સંયુક્ત સત્ર મંગળવારે બોલાવ્યું છે.