કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે વિપક્ષી દળોને સલાહ આપી છે. બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચિદમ્બરમે કહ્યું કે ભાજપને હરાવી શકાય છે અને તેની સાથે તેમણે આંકડાઓ પણ ટ્વિટ કરી કર્યા છે.
2019 के बाद से इन क्षेत्रों के चुनावों या उप-चुनावों में, भाजपा उम्मीदवारों ने 381 में से केवल 163 में ही जीत हासिल की।
किसने कहा कि भाजपा को हराया नहीं जा सकता है? विपक्षी दलों को यह विश्वास करना होगा कि वे भाजपा को हरा सकते हैं।
मुझे उम्मीद है कि यह बिहार में साबित होगा।
બિહાર વિધાનસભામાં ભાજપને હરાવી શકાય તેમ છે: ચિદમ્બરમ
કોંગ્રેસ નેતાએ કહ્યું કે વિપક્ષી પાર્ટીઓએ વિશ્વાસ કરવો પડશે કે ભાજપને હરાવી શકાય છે. મને આશા છે કે બિહાર ચૂંટણીના પરિણામો બાદ આ વાત સાફ થઇ જશે. ચિદમ્બરમે આ નિવેદનની સાથે વર્ષ 2019 બાદની વિધાનસભા ચૂંટણીઓના આંકડાઓ સામે મૂક્યા છે.
"2019માં ઘટી ભાજપની લોકપ્રિયતા"
તેમણે કહ્યું કે 2019 બાદ ભાજપના ઉમેદવારો 381માંથી 163 પર જ જીત હાંસલ કરી શક્યા છે. કોણે કહ્યું કે ભાજપને હરાવી ન શકાય ? વિપક્ષી દળોએ વિશ્વાસ કરવો જ પડશે કે ભાજપને હરાવી શકાય છે. મને આશા છે કે આ બિહારમાં સાબિત થઇ જશે.
નોંધનીય છે કે બિહારમાં અત્યારે વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર-પ્રસાર ચરમસીમા પર છે. વડાપ્રધાન મોદી પોતે સભાઓ ગજવી રહ્યા છે ત્યારે NDA અને મહાગઠબંધન વચ્ચે ટક્કર જામી છે ત્યારે ચિદમ્બરમ બધાને વિશ્વાસ અપાવી રહ્યા છે કે ભાજપને હરાવી શકાય છે.
બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ, CPI, CPM અને RJDએ મહાગઠબંધન બનાવીને મેદાનમાં ઉતર્યા છે.