વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગે 9 મિનીટ માટે બ્લેકઆઉટ કરીને દીવા-મીણબત્તી પ્રજ્વલિત કરવાની અપીલ કર્યા બાદ દેશમાં ઘણી જગ્યાએ તેની ટિકા કરવામાં આવી. મહારાષ્ટ્રના ઉર્જા મંત્રીએ પણ કહ્યું આમ કરવાથી અચાનક વીજળીની માંગ ઘટી જશે અને તેનાથી ગ્રીડ ફેલ થઇ જાય તો ફરી સપ્લાય ચાલુ કરવામાં સમય લાગી જશે, જે બાદ હવે ઉર્જા મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે લાઈટો સિવાય કોઈ જ વીજ-ઉપકરણો બંધ કરવાની આવશ્યકતા નથી.
હોસ્પિટલ, પોલીસ સ્ટેશન જેવી ઈમારતોમાં બંધ નહીં થાય લાઈટ
સ્ટ્રીટ લાઈટ પણ બંધ ના કરવા કરાઈ અપીલ
કોમ્પ્યુટર, ટીવી, પંખા, રેફીજરેટર વીજ-સાધનો બંધ કરવાની કોઈ જરૂર નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર ઉર્જા મંત્રાલય દ્વારા સફાઈ આપવામાં આવી. ઉર્જા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે 5મી એપ્રિલે રાત્રે ઘરની લાઈટ બંધ કરીને દીવા-મીણબતી પ્રગટાવવાના છે તેના માટે સ્ટ્રીટ લાઈટ બંધ કરવામાં આવશે નહીં. અને લાઈટની સાથે કોમ્પ્યુટર, ટીવી, પંખા, રેફીજરેટર અને એર-કંડીશનર જેવા વીજ-સાધનો બંધ કરવાની કોઈ જરૂર નથી.
મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું કે ઘરની લાઈટ સિવાય અન્ય વીજ-ઉપકરણો બંધ કરવાની જરૂર નથી. મંત્રાલય દ્વારા વિસ્તારમાં જણાવવામાં આવ્યું કે હોસ્પિટલ અને અન્ય જાહેર સેવાઓ આપતી ઓફીસ, પોલીસ સ્ટેશન વગેરે જેવી ઈમારતોમાં લાઈટ બંધ કરવાની કોઈ આવશ્યકતા નથી. સાથે બધી જ સરકારને સ્ટ્રીટ લાઈટ બંધ ન કરવા માટે પણ આગ્રહ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે રવિવારના રોજ રાત્રે બ્લેકઆઉટ કરવાની અપીલ કરી હતી તે બાદથી આ નિર્ણયને ઘણા બધા લોકોએ વખોડી નાખ્યું હતું. મહારાષ્ટ્રના ઉર્જા મંત્રીએ પણ કહ્યું હતું કે આમ કરવાથી પાવર ગ્રીડ ફેલ થઇ જશે અને તેને કારણથી ફરીથી સપ્લાય આપવામાં વાર લાગશે. આ સિવાય કોંગ્રેસ નેતા શશી થરૂરે પણ આ જ પ્રકારે વિરોધ દર્શાવ્યો હતો. જેના પર પણ સફાઈ આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે આમ કરવાથી ગ્રીડમાં કોઈ જ ફેરફાર નહિ થાય.
મહારાષ્ટ્રના ઉર્જા મંત્રીએ પણ લોકને લાઈટ બંધ કર્યા વગર જ દીવા પ્રગટાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે અચાનક જ બધી લાઈટ બંધ થવાથી ગ્રીડ ફેલ થઇ જશે, જેના કારણે બધી જ ઈમરજન્સી સેવાઓ પણ ઠપ થઇ જશે, વીજ સપ્લાય ચાલુ કરવામાં 12 થી 16 કલાકનો સમય લાગી જશે. તેમણે આ વિષયમાં કહ્યું કે લોકડાઉનના કારણે પહેલાં જ વીજળીની માંગ ખૂબ ઓછી છે. જો બ્લેકઆઉટ કરવામાં આવશે તો ગ્રીડ ફેલ થઇ જશે, એવામાં આવું કરતા પહેલાં વિચારવું જોઈએ.