જેતપુર તાલુકાનું ચારણ સમઢીયાળા ગામ આમતો બધી રીતે આગળ કહી શકાય પરતું જો શિક્ષણની વાત કરવામાં આવે તો અહીં શાળામાં એક શિક્ષક દ્વારા ધોરણ 1થી8માં શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે.
શાળામાં 86 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 1 શિક્ષક
વારંવાર રજૂઆતો છતાં કોઈ સાંભળતું નથી
1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ વચ્ચે 1 શિક્ષક
ગુજરાત સરકારનો નારો છે કે ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત પરંતુ સરકારનો આ નારો ફક્ત એકજ નારો હોય તેવું લાગે છે, કારણ કે રાજકોટ જિલ્લાની એક શાળા એવી છે કે જે એક જ શિક્ષકથી ચાલે છે, ધોરણ 1 થી ધોરણ 8 સુધી ના ધોરણ માટે માત્ર એક શિક્ષક હોય ત્યારે ભણશે ગુજરાત સુત્ર સાર્થક થશે કે કેમ તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
શાળામાં 86 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 1 શિક્ષક
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું ચારણ સમઢીયાળા ગામ આમતો બધી રીતે આગળ કહી શકાય પરતું જો શિક્ષણની વાત કરવામાં આવે તો અહીં શાળામાં એક શિક્ષક દ્વારા ધોરણ 1થી8માં શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે. અહીં આમ તો શાળામાં 5 શિક્ષક ફરજ બજાવે છે એમા પણ જો વાત કરવામાં આવે તો 3 શિક્ષક અને આચાર્ય બીમારીના કારણે રજા ઉપર છે. તો એક શિક્ષક મેટરનિટીની રજાઓમાં છે. ત્યારે એક જ શિક્ષિકા શાળામાં હાજર હોય છે.
વારંવાર રજૂઆતો છતાં કોઈ સાંભળતું નથી
આ તરફ અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીની વાત કરીએ તો અહીં ધોરણ 1 થી 8માં 86 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. જ્યારે 8 કલાકની શાળામાં એક જ શિક્ષિકા ફરજ પર હાજર હોય છે. શાળામાં એક તાસ પૂરો થયા બાદ બીજો તાસ શરૂ થાય છે. આમ એક શિક્ષિકા દ્વારા શાળાના 86 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે, શિક્ષિકાને પણ ધોરણ 8 સુધીના બાળકોને અભ્યાસ કરાવવામાં મુશ્કેલી પડે છે. તેમજ છતા શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓ પ્રત્યેની નિષ્ઠાને લઈને આજે પણ શાળા કાર્યરત છે.
1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ વચ્ચે 1 શિક્ષક
સરકારનો નારો છે કે ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા ના ચારણ સમઢીયાળા ગામની પ્રાથમિક શાળાની હાલત જોતા સરકારની નીતિ ઉપર ચોક્કસ સવાલ ઉભો થાય કારણ કે જયારે 86 વિધાર્થી ઓ અને 1 થી 8 ધોરણ વચ્ચે માત્ર 1 શિક્ષિકા હોય ત્યારે કેમ ભણશે ગુજરાત કેમ આગળ વધશે ગુજરાત, આ સમસ્યા ને લઈ ને સ્થાનિક કક્ષાએ થી અનેક રજુઆત છતાં સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવાય તે આ ગામના બાળકો માટે કમનસીબની વાત છે રાજ્ય સરકારના નારો ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત અહીં પોકળ સાબિત થતો હોય તેવું લાગે છે ત્યારે વિકસીલ ગુજરાતની આ શાળા ગુજરાતના વિકાસની પોળ ખોલતી હોય તેવું લાગે છે સરકારે જાગૃત થઇ ને અહીં ના બાળકોના હિત માં કામ કરે તે જરૂરી છે.